2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદારો થયા સક્રીય,ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલની હાજરીમાં થશે આ મોટું કામ

Published on: 9:38 am, Sun, 19 December 21

આજરોજ ખોડલધામ સમિતિનું સ્નેહમિલન યોજવાનું છે જેમાં બે ઝોનના લેઉવા પાટીદાર સમાજના લોકો હાજર રહેશે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે તેવું જાણવા મળી રહ્યુ છે.મહત્વની વાત એ છે કે ખોડલધામ પાટોત્સવ પહેલા પાટીદાર સ્નેહમિલન સમારોહ યોજાવવા જઈ રહ્યો છે.

જેમાં પાટીદાર સમાજના મોટા અગ્રણીઓ અને પાટીદાર સમાજના મુખ્ય આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.લેઉવા પાટીદારો સમાજના બે ઝોન ના આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાજકીય રીતે ખૂબ જ મહત્વનો છે

તેવું કહેવાય રહ્યુ છે. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ઉલ્લેખનિય છે કે ખોડલધામ સમિતિના 2022ના પાંચ મો પાટોત્સવ ઉજવવા બાબતે અગાઉ ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ લેઉવા પટેલ સમાજ માટે ગૌરવનું એક મહત્ત્વનું ધામ બન્યું છે

અને માત્ર ત્રણ વર્ષના ટૂંકા સમયમાં વિશાળ ખોડલ ધામ નું સપનું સાકાર થયું છે તેમાં આપ સૌનો ફાળો છે અને આપ સૌના સહકારથી ખોડલધામ વિશ્વસનીય બન્યું છે.

આગામી ખોડલધામ ના પાંચ માં પાટોત્સવને લઈને ધોરાજી ખાતેની મુલાકાતમાં ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ કહ્યું કે લેઉવા પટેલ સમાજ તમામ ધંધામાં પ્રગતિ કરી શકે ક્લાર્કથી માંડીને કલેક્ટર સુધી લેઉવા પટેલ સમાજના યુવાનો હોવા જોઈએ જે બાબતે વિદ્યાર્થી ભાઈ બહેનોએ આગળ આવવા પર ખાસ ભાર મુક્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદારો થયા સક્રીય,ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલની હાજરીમાં થશે આ મોટું કામ"

Leave a comment

Your email address will not be published.


*