અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું એવું મોટું કામ કે હવે…

Published on: 9:48 am, Sun, 19 December 21

હાલ માં જ ગુજરાત હાઈકોર્ટે દ્રારા અમદાવાદ મહાનગર પાલિકાના વહીવટી તંત્રને રખડતા ઢોર મુદ્દે કડક ફટકાર લગાવી હતી અને શું તેઓ કાર્યવાહી કરી રહ્યા છે કે નહિ તેવો સવાલ પણ પૂછ્યો હતો.ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર ને કડક ફટકાર લગાવતા હવે રખડતા ઢોર મુદ્દે અમદાવાદ શહેર પોલીસે મહત્વનું જાહેરનામુ બહાર પાડ્યું છે.

પોલીસના જાહેરનામામાં શહેરમાં કેટલાક ઝોનને ‘નો કેટલા ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ શહેરના કેટલાક ઝોનને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરાવામાં આવ્યા છે.

પોલીસના જાહેરનામાં પ્રમાણે પશ્ચિમ ઝોન ‘નો કેટલ’ ઝોન તરીકે જાહેર કરાયો છે તો આપણે જણાવી દઈએ કે રિવરફ્રન્ટથી ગાંધીબ્રિજ અને ગાંધીબ્રિજથી ઉસ્માનપુરા અને સી.જી.રોડ ‘નો કેટલ’ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત બાગ બગીચા,સ્કૂલ હેપ્પી સ્ટ્રીટ નો કેટલ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ જાહેરનામાં બાદ હવે જાહેરમાં રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઢોર માલિકો પશુઓને ‘નો કેટલ’ ઝોનમાં ખુલ્લા મુકશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે,અને આ વિભાગના જાહેરનામા ભંગ બદલ ઢોર માલિકો સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું એવું મોટું કામ કે હવે…"

Leave a comment

Your email address will not be published.


*