ચામુડા માતાજીના ચોટીલા મંદિરે આજે પણ માતાજીની રક્ષા કરવા આવે છે સિંહ, જાણો માતાજી નો ઇતિહાસ…

Published on: 11:45 am, Sat, 4 May 24

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલા ગામમાં માતાજી ચામુંડા બિરાજમાન છે અને માતાજી ચામુંડાને 64 જોગણીઓના અવતારમાં એક માનવામાં આવે છે. અહીં હજારો શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા માટે ચોટીલાનો ડુંગર ચડીને આવતા હોય છે

અને આ મંદિરમાં હજાર જેટલા પગથિયાં આવેલા છે.કહેવાય છે કે હજારો વર્ષ પહેલા આ જગ્યાએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. જેવો અહીંના આજુબાજુના લોકોને ખૂબ એટલે ખૂબ હેરાન કરતા હતા અને ત્રાસથી બચાવવા માટે ત્યાંના ઋષિમુનિઓએ આધ્યા શક્તિની આરાધના કરી

અને એ બે રાક્ષસનો વધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિરૂપી મહાશક્તિ ચામુડા નામથી માતાજી પ્રસન્ન થયા.ચામુડા માતાજીનું વાહન તો સિંહ છે અને અહીં કહેવાય છે કે દરરોજ રાત્રે મંદિરની રક્ષા કરવા માટે સાક્ષાત જી આવે છે

અને એટલા માટે સાંજે 7:00 વાગ્યા પછી આ મંદિરમાં કોઈ રહેતું નથી મતલબ કે ખુદ પૂજારી પણ ડુંગરની નીચે ઉતરી જાય છે અને માતાજીની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ રહેતું નથી અને માતાજીની રક્ષા કરવા સાક્ષાત કાળભૈરવ મંદિર બહાર ચોકી કરે છે એવું પણ લોકો દ્વારા સાંભળવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ચામુડા માતાજીના ચોટીલા મંદિરે આજે પણ માતાજીની રક્ષા કરવા આવે છે સિંહ, જાણો માતાજી નો ઇતિહાસ…"

Leave a comment

Your email address will not be published.


*