પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર હાઈવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મોડી સાંજે એક ડમ્ફર રિક્ષા પર ડમ્ફર ચડાવી દીધો હતો. આ ઘટનામાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.
મળતી માહિતી અનુસાર રિક્ષામાં સવાર લોકો રાધનપુરના બંધવડ ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે એકબીજા ગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે અકસ્માત બન્યો ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કોની ભૂલના કારણે થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની પણ હજુ ઓળખ થઇ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "રાધનપુર-ભાભર હાઈવે પર રીક્ષાની ઉપર ડમ્પર ચડી જતા સર્જાયો ગંભીર અકસ્માત – 3 લોકો કાળનો કોળિયો બની ગયા…"