કોંગ્રેસના પૂર્વ પ્રમુખના પુત્રનું રહસ્યમય મૃત્યુ : રહસ્યમય રીતે ગુમ થયેલા કોંગ્રેસી નેતાના પુત્રનું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 4:29 pm, Tue, 1 March 22

ચાર દિવસ પહેલાં રહસ્યમય રીતે ગુમ થયેલા સાવલી તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના અગ્રણી વિજય સિંહ વાઘેલા ના 22 વર્ષીય પુત્ર કુલદીપસિંહ મૃતદેહ અલીન્દ્રા ઝુમકાલ ગામની સીમમાં આવેલા તળાવમાંથી મળી આવ્યું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

કુલદીપ સિંહ મૃત્યુ કયા કારણોસર થયું તેનું કારણ હજી રહસ્યમય છે. મળતી માહિતી અનુસાર કુલદીપ સિંહ નો જીવ લઈ લેવામાં આવ્યો હતો તેવી આશંકાઓ સેવાઈ રહી છે. સમગ્ર ઘટનાને લઇને ભાદરવા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર કુલદીપ સિંહ વાઘેલા જેસીબી ભાડે આપવાનો વ્યવસાય કરે છે.

ચાર દિવસ પહેલા કુલદીપસિંહ પોતાની સાઇટ પર JCB લઈને માટી કામ કરાવવા માટે ગયા હતા. અને તેઓ ત્યાંથી અચાનક ગુમ થઈ ગયા હતા. આ ઘટના બન્યા બાદ સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.

આજરોજ શોધખોળ દરમિયાન કુલદીપસિંહ મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું હતું. ઘટના બનતા પોલીસ અને આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

પોલીસે કુલદીપ સિંહ ના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોંગ્રેસના પૂર્વ પ્રમુખના પુત્રનું રહસ્યમય મૃત્યુ : રહસ્યમય રીતે ગુમ થયેલા કોંગ્રેસી નેતાના પુત્રનું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*