નરાધમ જમાઈએ કુહાડી લઈને પોતાના સાસુનો જીવ લઈ લીધો… જાણો આવું શા માટે કર્યું હશે…

Published on: 6:03 pm, Sat, 14 October 23

હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક જમાઈ પોતાના સાસુનો જીવ લઈ લીધો છે. સાસુનો જીવ લેવા પાછળનું કારણ સાંભળીને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, મહિલાએ પોતાની દીકરીને સાસરે જવાની ના પાડી દીધી હતી.

ત્યાર પછી દીકરીના પતિએ પોતાની સાસુનો જીવ લઈ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જમાઈ કુહાડી વડે પોતાની સાસુ ઉપર પ્રહાર કર્યા હતા અને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હચમચાવી દેનારી ઘટના ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર 10 ઓક્ટોબરના રોજ મીના દેવી નામની 55 વર્ષની મહિલા પર તેના જમાઈ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને મીનાદેવીનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પૂછપરછ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે જમાઈ બંટી સૌપ્રથમ તો પોલીસને ઊંધા રસ્તે ચડાવતો હતો. પરંતુ જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને પોલીસની સામે પોતાનો ગુનો કબુલ કર્યો હતો.

તેને જણાવ્યું કે તેના સાસુ તેની પત્નીને સાસરે આવવા દેતા ન હતા. જેના કારણે ઘરમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થતી હતી. જેનાથી કંટાળીને જમાઈ બંટીએ 10 ઓક્ટોબરના રોજ રાત્રે પોતાના સાસુ મીનાદેવી ઉપર કુહાડી વડે પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો હતો. હાલમાં ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નરાધમ જમાઈએ કુહાડી લઈને પોતાના સાસુનો જીવ લઈ લીધો… જાણો આવું શા માટે કર્યું હશે…"

Leave a comment

Your email address will not be published.


*