સુરતમાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારમાં ગુજરાતી લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીએ રમઝટ બોલાવી દીધી હો બાકી… વીડિયો જોઈને મોજ પડી જશે…

Published on: 6:39 pm, Mon, 29 May 23

સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં ચારે તરફ માત્ર બાઘેશ્વર ધામની(Bagheshwar Dham) જ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના(Dhirendra Shastri) દિવ્ય દરબારમાં લોકગાયક કિર્તીદાન ગઢવી(Kirtidan Garhvi)એ આવી રીતે રમઝટ બોલાવી દીધી હતી. હાલમાં આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, તસવીરોમાં જોઈ શકાય છે કે લાખો લોકોની સંખ્યામાં ભક્તો દિવ્ય દરબારમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પૂર્વ કિર્તીદાન ગઢવી ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રી કિર્તીદાન ને બમ બમ ભોલે અને મોર બની થનગાટ કરે ગાવાનું કહ્યું હતું. સૌથી ખાસ વાત એ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી કહ્યું કે દરેક દિવ્ય દરબારમાં કિર્તીદાન ગઢવી ના ભજન વાગવા જોઈએ.

તેમજ દરેક લોકોની સામે કિર્તીદાન વિશે ખાસ વાત કહી હતી. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની દિવ્ય વાણીથી કહ્યું કે હમારે પાસ કીર્તિદાન ગઢવી ભી આયા હૈં. બહુત અચ્છા ગીત ગાતા હૈં, એ બેઠા હે બબુઆ ! બહુત અચ્છા ગીત ગાતા હૈં, મેને તુમ્હારા ડમ ડમ ડમરુ વાલા સુના હૈ. હે ભોલેનાથ હમભી સુનેગે તુમે જાને કી જરૂરત તો નહીં ના ?

જાઓગે ભી કેસે જબતક પેમેન્ટ ન મિલ. હમારે ચેલે જો પેમેન્ટ દેને વાલે હૈ વો નહી દેંગ. ક્યોંકી હમ મના કર દેંગે પેમેન્ટ દેને કો, હમ તુમ કો બાગેશ્વર ધામ બુલાયેંગે તુમ આના ઔર વહા ગીત ગાના. કિર્તીદાન ગઢવી એ આ ઐતિહાસિક અને દિવ્ય ક્ષણના વિડીયો અને તસવીરો પણ પોસ્ટ કર્યા અને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, સુરત ખાતે બાબા વાઘેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં લાખોની જનમેદની વચ્ચે વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો.

પૂજ્ય બાબા બાગેશ્વરજીના ખૂબ રાજીપા આશીર્વાદ આપ્યા હતા. હાલમાં તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી અને ખાસ વાત એ છે કે કિર્તીદાન ગઢવી એકમાત્ર ગાયક કલાકાર છે જેને દિવ્ય દરબારમાં હાજરી આપી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારમાં ગુજરાતી લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીએ રમઝટ બોલાવી દીધી હો બાકી… વીડિયો જોઈને મોજ પડી જશે…"

Leave a comment

Your email address will not be published.


*