લગ્નના 2 દિવસ બાદ ઘરની રૂમમાંથી પતિ-પત્નીનું મૃતદેહ મળી આવ્યું, લવ મેરેજ કર્યા બાદ રિસેપ્શનના દિવસે કંઈક એવું બન્યું કે… ખુશીનું વાતાવરણ દુઃખમાં ફેરવાઈ ગયું…

Published on: 11:04 am, Wed, 22 February 23

દેશભરમાં જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગ્નના બે દિવસ બાદ પતિ-પત્નીનું મૃતદેહ ઘરના રૂમમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ ઘટનામાં દુલ્હનના છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે વરરાજાના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચેલી હતી.

સમગ્ર ઘટનાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. જેમાં ગુસ્સામાં ભરાયેલા પતિએ સૌપ્રથમ પોતાની પત્ની ઉપર જીવલેણ પ્રહાર કરી અને પછી પત્નીએ પોતાના પતિ ઉપર પ્રહાર કર્યા હશે. આ કારણોસર બંનેના મૃત્યુ થયા છે હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે.

જ્યારે અન્ય લોકો કહી રહ્યા છે કે પત્નીનો જીવ લીધા બાદ પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું હશે. આ ચોક આવનારી ઘટના છત્તીસગઢની રાજધાની રાયપુરમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો 19 ફેબ્રુઆરીના રોજ 24 વર્ષીય અસલમ નામના યુવકના લગ્ન કહકશાં નામની જ્યોતિ સાથે થયા હતા. લગ્નના બે દિવસ બાદ એટલે કે મંગળવારના દિવસે બંનેનું મૃતદેહ ઘરમાંથી મળી આવ્યું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર અસલમ અને કહકશાંના લવ મેરેજ થયા હતા. બંનેના લગ્ન બાદ મંગળવારના રોજ સાંજના સમયે ઘરે રિસેપ્શન હતું. રિસેપ્શન રાખેલા મેદાનમાં મહેમાન ના સ્વાગત ની તૈયારીઓ ચાલી રહી હતી.

મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. રિસેપ્શન હોવાથી પરિવારના તમામ સભ્યોના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી હતી. પરંતુ તેવામાં આ ઘટના બનતા જ પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું અને ખુશીના વાતાવરણમાં દુઃખ ફેરવાઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે પતિ-પત્ની રૂમની અંદર બંધ થઈ ગયા હતા અને પછી રૂમમાંથી ચીસો અવાજ સંભળાયા હતા. ત્યારબાદ ઘરમાં હાજર અસલમની માતાએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ અંદરથી કોઈએ રૂમનો દરવાજો ખોલ્યો નહીં. માતાએ પછી બારીમાંથી જોયું ત્યારે દીકરો જમીન ઉપર પડેલો હતો અને પુત્રવધુ પલંગ ઉપર પડેલી જોવા મળી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારજનો અને પોલીસને કરવામાં આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બંનેનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનાને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. બંનેનો જીવ કોને લીધો હશે? બંને એકબીજાનો જીવ લઈ લીધો હશે? કે પતિએ પત્નીનો જીવ લઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હશે? સમગ્ર સવાલોના જવાબ મેળવવાની કામગીરી પોલીસે શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નના 2 દિવસ બાદ ઘરની રૂમમાંથી પતિ-પત્નીનું મૃતદેહ મળી આવ્યું, લવ મેરેજ કર્યા બાદ રિસેપ્શનના દિવસે કંઈક એવું બન્યું કે… ખુશીનું વાતાવરણ દુઃખમાં ફેરવાઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*