આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી જે બોલે છે તે કરીને બતાવે છે : ગોપાલ ઈટાલિયા

Published on: 5:16 pm, Thu, 10 November 22

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને સુરતની કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા રોડ શો દરમિયાન જનતાને સંબોધતા કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા પછી આમ આદમી પાર્ટીને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ અને ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ

જનરલ સેકેટરી ઈશુદાન ગઢવી આખા ગુજરાતમાં રોડ સોને પદયાત્રા દ્વારા જન સંપર્ક કરી રહ્યા છે અને ગોપાલભાઈએ કહ્યું કે આ જન સંપર્ક યાત્રામાં સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે અને પરિવર્તનનો સંદેશ મજબૂત કરી રહ્યા છે. પાર્ટીના લાખો કાર્યકર્તાઓ પણ ખૂબ જ મહેનત કરવામાં લાગી ગયા છે અને અલગ અલગ વિધાનસભાઓમાં ડોર ટુ ડોર કેમ્પિયન માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીને લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

તેમને વધુમાં કહ્યું કે ગુજરાતમાં પરિવર્તનની લહેર પુરા જોશમાં ચાલી રહી છે ને હવે ચૂંટણીમાં માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે પૂરા ચોર સાથે આ ચૂંટણીમાં ઉતરી ચૂકી છે અને ગુજરાતના લોકો દ્વારા પહેલાથી આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન આપવામાં આવ્યું છે અને ગુજરાતના મુખ્યમંત્રીના ચેહરા તરીકે ઈશુદાન ગઢવી ના નામની જાહેરાત કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી જે બોલે છે તે કરીને બતાવે છે : ગોપાલ ઈટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*