માતાએ પોતાના સગા દીકરાને મરાવી નાખ્યો, પછી દીકરાના મૃતદેહની એવી હાલત કરી કે…જાણો માતાએ શા માટે આવું કર્યું….

Published on: 4:36 pm, Thu, 10 November 22

આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના જ 11 વર્ષના દીકરાને મરાવી નાખ્યો છે. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. દીકરાના જીવ લેવડાવાનું કારણ જાણીને તમે પણ હચમચી જશો.

માસુમ દીકરાનું મૃતદેહ રેલવે ટ્રેક પરથી બે ટુકડામાં મળ્યું હતું. આ દ્રશ્યો જોઈને પોલીસ પણ ધ્રુજી ઉઠી હતી. આ ઘટના નાગૌર જિલ્લાના લાડનુન પોલીસ સ્ટેશન વિસ્તારના તિત્રી ગામનો છે. મૃત્યુ પામેલા દીકરાનું નામ નવદીપ હતું અને તેની ઉંમર 11 વર્ષની હતી નવદીપ ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો. સોમવારના રોજ સાંજે 5.15 વાગ્યાની આસપાસ અચાનક જ નવદીપ ઘરની સામેથી ગુમ થઈ ગયો હતો.

તેના પિતા રાજુસિંહ મજૂરી કામ કરતા હતા. નવદીપ અને તેની માતા ઘરે રહેતા હતા. નવદીપ ગુમ થયો છે આ વાતની જાણ થતા જ તેના પિતાએ અને અન્ય ગામના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ નવદીપ નો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. તેથી બાળકના પિતાએ ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

નવદીપનો અપહરણ થયું અને આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પોલીસને બાતમી મળી હતી કે છોટી ખાડુ અને બાડાબરા વચ્ચે બે ટુકડામાં બાળકનું મૃતદેહ પડેલું છે. 8 નવેમ્બર એટલે કે મંગળવારના રોજ પોલીસી સીતારામ નામના વ્યક્તિની શંકા ના આધારે ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછ દરમ્યાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પૂછપરછ દરમિયાન પોલીસને એક ચોકાવનારી બાબત જાણવા મળી હતી. બાળકનો જીવ લેવાનું કાવતરું તેની માતાનું હતું. તેથી બુધવારના રોજ પોલીસે બાળકની માતાની પણ ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર સીતારામની સાથે બાળકની માતાએ પણ પોતાના દીકરાનો જીવ લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

માતાએ બાળકને સીતારામને સોંપી દીધો હતો અને ત્યારબાદ બાળક ગુમ થયો છે તેવું નાટક કર્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બાળકની માતા અને આરોપી સીતારામ છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. દીકરો નવદીપ બંનેના પ્રેમ સંબંધમાં અવરોધ રૂપ બનતો હતો. જેના કારણે બંને મળીને દીકરાને રસ્તા ઉપરથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાએ પોતાના સગા દીકરાને મરાવી નાખ્યો, પછી દીકરાના મૃતદેહની એવી હાલત કરી કે…જાણો માતાએ શા માટે આવું કર્યું…."

Leave a comment

Your email address will not be published.


*