રાજકોટમાં એક યુવકે માતાજી મંદિરમાં જઈને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા પત્નીને કહ્યું કે “તું બહાર ઉભી રે, હું…”

Published on: 11:08 am, Tue, 4 April 23

હાલમાં જ એક આઘાત ની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે મંદિરમાં જ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રણુજા મંદિર નજીક રહેતા અને મૂળ અમદાવાદ હાઇવે પર ભારવણ ગામનો 22 વર્ષીય નારણ ચોથાભાઈ તલાવડીયા ગઈકાલના રોજ રાત્રિના તેની પત્નીને સાથે બારવણ ગામે આટો મારવા જઈ રહ્યા હતા.

આ દરમિયાન રક્ષામાં આવેલ મેલડી માતાજીના મંદિરે તેની પત્નીને મંદિર બહાર ઉભી રાખી હતી. પોતે મંદિરમાં જઈને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, ત્યારે મોડે સુધી પતિ મંદિર બહાર ન આવતા તેની પત્નીએ તપાસ કરતા તેનો પતિ બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

મહત્વનું છે કે જે અંગે તેના નણંદ અને ફોન કરી જાણ કરવામાં આવી હતી અને દોડી આવેલા પરિવારજનો દ્વારા પહેલા કુવાડવા અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો,

સમગ્ર ઘટના અંગે સિવિલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, મૃતકના પરિવારજનોએ જણાવ્યા મુજબ નારણ ના લગ્ન એક વર્ષ અગાઉ હુડકોમાં રહેતી યુવતી સાથે થયા હતા. ત્યારબાદ તેની પત્ની દ્વારા રાજકોટ જ રહેવું છે તેવી જીદ કરવામાં આવી હતી. જેથી યુવક દસ દિવસથી રણુજા મંદિર નજીક રૂમ ભાડે રાખી રહેતો હતો. પરંતુ તેનું મન રાજકોટના બદલે પોતાના ગામ બારવણમાં રહેવાનું હતું,

જેને કારણે ગત રોજ તેની પત્નીને બારવણ આંટો મારી આવી એ કહી બંને ત્યાંથી નીકળ્યા હતા. રસ્તામાં જ આ પ્રકારનું અંતિમ પગલું ભરી લીધું હતું, મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે મૃતક મજૂરી કામ કરતો અને છ ભાઈ બહેનમાં નાનો હતો. સમગ્ર ઘટનાને કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં એક યુવકે માતાજી મંદિરમાં જઈને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા પત્નીને કહ્યું કે “તું બહાર ઉભી રે, હું…”"

Leave a comment

Your email address will not be published.


*