સુરતમાં અથવાગેટ પાસે ચાલતી મારુતિવાનમાં અચાનક આગ લાગી ઉઠી, જાગૃત વિદ્યાર્થીઓની મદદથી ડ્રાઈવરનો જીવ બચ્યો…

Published on: 1:08 pm, Tue, 8 February 22

સુરત અથવાગેટ પાસે ચાલતી મારુતિવાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં જાગૃત વિદ્યાર્થીઓની મદદથી વાનચાલકનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી અનુસાર સુરતમાં અઠવાગેટ મહાવીર હોસ્પિટલ પાસે રોડ પર જઈ રહેલી એક મારુતિવાનમાં અચાનક આગ લાગી ઉઠી હતી.

વાહનચાલકે જણાવ્યું કે હું રાંદેરથી મજુરાગેટ થઇને કાપડિયા હેલ્થ ક્લબ જઈ રહ્યો હતો. જ્યારે હું સરદાર બ્રિજ ઉતાર્યો અને મહાવીર હોસ્પિટલ પાસે એક બાઈક ચાલકે પાછળથી બૂમાબૂમ કરી હતી અને કાર ઊભી રાખવાનું કહ્યું હતું.

જ્યારે હું વાનમાંથી નીચે ઊતર્યો ત્યારે ધુમાડા સાથે આગ લાગેલી જોઈ હતી. ત્યારબાદ મેં ડીકી ખોલીને તાત્કાલિક ગેસ સપ્લાય બંધ કરી દીધી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ તાત્કાલિક ની ટીમલી કરી હતી.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. મળતી માહિતી અનુસાર કાર ચાલકને બચાવનાર વિદ્યાર્થીનું નામ મિત પ્રજાપતિ છે.

તે ગાંધી કોલેજમાં ડિપ્લોમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે તેને બ્રિજ પર વાન માંથી ધુમાડા નીકળતા અને આગ જોઈ, ત્યારે તેને તાત્કાલિક બૂમાબૂમ કરી હતી.

પરંતુ વાનચાલકને વિદ્યાર્થી નો અવાજ સંભળાયો નહિ પરંતુ અન્ય બાઇકચાલકને વિદ્યાર્થીની બૂમો સંભળાય ગઈ. ત્યારે તે બાઈક ચાલકે વાહનચાલકને તાત્કાલિક વાન ઉભી રાખવાનું કહી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં અથવાગેટ પાસે ચાલતી મારુતિવાનમાં અચાનક આગ લાગી ઉઠી, જાગૃત વિદ્યાર્થીઓની મદદથી ડ્રાઈવરનો જીવ બચ્યો…"

Leave a comment

Your email address will not be published.


*