ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદન મોહનદાસ બાપુએ 115 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ…

Published on: 4:17 pm, Sat, 4 May 24

ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમને 115 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધન બાદ સમગ્ર ભાવનગરમાં અને તેમના ભક્તજનોમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ છે

અને શ્રી મદન મોહનદાસ બાપુ શ્રદ્ધાળુઓના અસ્થાનું કેન્દ્ર હતા અને હનુમાનજી મંદિરના વર્ષોથી મહંત રહ્યા હતા તેમને 62 વર્ષથી વધુ સમય સેવા બજાવી હતી.મદનમોહનદાસ બાપુ ખૂબ મોટો ભક્ત સમુદાય ધરાવતા હતા અને આજે એટલે ચાર મેના રોજ સવારે તેમના પાર્થિવ દેહને ભક્તજનોના દર્શન માટે રાખવામાં આવ્યો છે

અને રામજી કી ઈચ્છા એ વાક્યને પોતાના જીવનનો મંત્ર બનાવી નાનકડી ડેરીમાંથી વિશાળ શિખરબંદ મંદિરના નિર્માણમાં તેમનો મહત્વનો ફાળો રહેલો છે.બાપાની હોય 100 વર્ષથી વધુ હોવાથી ઘણી વખતથી તેઓ ના તંદુરસ્ત રહેતા હતા જો કે તેમ છતાં તેઓ સક્રિય રહેતા

અને બાપા હનુમાનજી મહારાજની સેવામાં પોતાનો જીવન સમર્પિત કરી દીધું અને આપને જણાવી દઈએ કે ભાવનગરની મધ્યમાં આવેલા મંદિર લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અને શનિવાર અને રવિવારના દિવસે ખૂબ જ ટ્રાફિક હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદન મોહનદાસ બાપુએ 115 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ…"

Leave a comment

Your email address will not be published.


*