મોટી દુર્ઘટના : મૂર્તિ વિસર્જન દરમિયાન 5 લોકો કેનાલમાં ડુબીયા, 2નો આબાદ બચાવ, 1નું મૃત્યુ, 2ની શોધખોળ ચાલુ…

Published on: 12:36 pm, Tue, 8 February 22

હરિયાણાના બહાદુરગઢ શહેરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં સરસ્વતી મૂર્તિ વિસર્જન દરમિયાન પાંચ લોકો કેનાલમાં ડૂબી ગયા હતા. જેમાંથી બે યુવકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

ત્યારે આજરોજ એક યુવકનું મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું છે. હજુ પણ અન્ય બે યુવકની શોધખોળ ચાલુ છે. કેનાલમાંથી ગૌરવ નામના યુવકનું મૃતદેહ મળી આવ્યું છે.

મળતી માહિતી અનુસાર વસંત પંચમીના નિમિત્તે રવિવારે વોર્ડ 10 માં સરસ્વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. સોમવારે સાંજે સરસ્વતી માતાની મૂર્તિ વિસર્જનનો કાર્યક્રમ હતો. મોડી સાંજે મોટી સંખ્યામાં ભક્તો મૂર્તિ વિસર્જન માં પહોંચ્યા હતા.

મૂર્તિ વિસર્જન દરમિયાન મૂર્તિનો વજન વધુ હોવાના કારણે વિસર્જન કરતી વખતે સંતુલન બગડે છે. અને 5 લોકો કેનાલમાં ડૂબી જાય છે. જેમાંથી 2 યુવકોને આબાદ બચાવ કરી લેવામાં આવ્યા હતા.

જ્યારે અન્ય ત્રણ યુવકોની શોધખોળ ચાલુ હતું. તેમાંથી આજરોજ સવારે એક યુવકનું મૃતદેહ મળી આવ્યું છે. હજુ પણ દિલખુશ અને શૈલેષ નામના યુવકની શોધખોળ ચાલુ છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઉપરાંત મૃત્યુ પામેલા ગૌરવના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ મોટી સંખ્યામાં પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં બે યુવકની શોધખોળ ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોટી દુર્ઘટના : મૂર્તિ વિસર્જન દરમિયાન 5 લોકો કેનાલમાં ડુબીયા, 2નો આબાદ બચાવ, 1નું મૃત્યુ, 2ની શોધખોળ ચાલુ…"

Leave a comment

Your email address will not be published.


*