4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : પિતાને બાઇક પાસે ઊભા રાખીને પુત્ર લેવા ગયો, ત્યારબાદ થયું એવું કે પિતાનું કરુણ મૃત્યુ…

Published on: 10:29 am, Mon, 1 August 22

ગાંધીનગરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરના પીપળજ મહર્ષિ અત્રી તપોવન રોડ પરથી પિતા દીકરા સાથે બાઈક પર પસાર થતા હતા. ત્યારે રસ્તામાં પેટ્રોલ પતી જતા પિતાને બાઇક પાસે ઊભા રાખીને દીકરો પેટ્રોલ લેવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યા વાહને બાઇક પાસે ઉભેલા પિતાને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાના કારણે પિતાનું મૃત્યુ છે. સમગ્ર ઘટનાને લઈને પેથાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ગાંધીનગરના પીપળજ ગામની સીમામાં રહેતા દશરથજી કોયાજી ઠાકોરના પરિવારમાં બે દીકરાઓ અને બે દીકરીઓ છે.

ઘટના બની તે દિવસે દશરથજી પોતાના દીકરા વનરાજ સાથે ખેત મજૂરી અર્થે દેવેન્દ્રસિંહ રણજીતસિંહના ખેતરમાં જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અચાનક જ તેમની બાઇક બંધ થઈ જાય છે. જ્યારે વનરાજે બાઇક ચેક કરી ત્યારે ખબર પડી કે બાઈકમાં તો પેટ્રોલ જ પૂરું થઈ ગયું છે.

તેથી વનરાજ પોતાના પિતાને બાઇક પાસે ઊભા રાખીને પેટ્રોલ લેવા માટે ગયો હતો. થોડીક આગળ જ ગયો ત્યારે વનરાજના મિત્રનો ફોન આવ્યો હતો કે તેના પિતાનો અકસ્માત થયો છે. આ વાત સાંભળીને વનરાજ તરત જ પાછો વળે છે. જ્યારે તે ઘટના સ્થળે પહોંચે છે ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તેમના પિતા ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડ્યા હતા.

થોડીક વાર બાદ ઘટના સ્થળે 108 પહોંચી આવી હતી. એમ્બ્યુલન્સના તબીબે ચેક કર્યું ત્યારે તેમને ઇજાગ્રસ્ત થયેલા દશરથજીને મૃત જાહેર કર્યા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે અજાણ્યા વાહન ચાલકે વનરાજના પિતાને ટક્કર લગાવી હતી અને ત્યારબાદ વહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. દશરથજીના મૃત્યુના કારણે બે દીકરાઓએ અને બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને વનરાજની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : પિતાને બાઇક પાસે ઊભા રાખીને પુત્ર લેવા ગયો, ત્યારબાદ થયું એવું કે પિતાનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*