ખજૂરભાઈને દિલથી સલામ…! વરસાદમાં આ બહેનને તકલીફ પડતી હતી, આ વાતની જાણ થતા ખજૂરભાઈ આ બહેનની કરી નાખી એવી મદદ કે…

Published on: 2:14 pm, Sun, 31 July 22

ગુજરાતના મસીહા કહેવાતા ખજૂર ભાઈ ને તો તમે ઓળખતા જ હશો કે તેઓ હાલ ગુજરાતના ગરીબોના દેવદૂત બની ગયા છે. આજે તેઓએ સૌ કોઈના દિલમાં પોતાનું અનોખુ સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે પૂરું પાડી રહ્યા છે, ત્યારે ફરી એકવાર એક નવો કિસ્સો સામે આવ્યો છે.

ગત વર્ષે આવેલા વાવાઝોડા દરમ્યાન કેટલાય લોકો બે ઘર બન્યા હતા ત્યારે આ તમામ લોકોને નવા ઘર બનાવી આપીને તેમણે 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો હતો.આ ઉપરાંત ઉનાળાની સિઝનમાં ગરમીથી હેરાન થયેલા લોકો માટે કુલર જેવી વ્યવસ્થા પણ કરી આપી હતી.એવામાં જ હાલ ફરી એકવાર ખજૂર ભાઈ લોકમુખી એ ચર્ચાનો વિષય બન્યા છે.

જ્યારે પણ ખજૂર ભાઈને જાણ થાય છે કે આ ગામમાં એ વ્યક્તિ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યો છે અને તેને રહેવા માટે આશરો પણ ન હોય ત્યારે એવા લોકોને સમસ્યાઓ જોઈને તેઓ તેમની પાસે પહોંચી જાય છે અને એવા લોકો માટે તેમને રહેવા માટે આશરો પણ આપે છે.જ્યારે પણ ખજૂર ભાઈ ને ખબર પડે છે કે આ મહિલા કે આ પુરુષ કોઈ દુઃખી છે તો તરત જ તેઓ તેમની મદદ માટે પહોંચી જાય છે એવામાં જ હાલ તેઓ વલસાડમાં રહેતા વર્ષાબેનની મદદ કરવા જઈ રહ્યા છે.

વાત જાણે એમ છે કે વર્ષાબેનના પતિ છેલ્લા ત્રણ વર્ષથી પેરાલીસીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત વરસાદના કારણે તેમનું ઘર પણ પડી ગયું હતું. તેથી ખજૂર ભાઈ એ વર્ષાબેનની મદદ કરવા માટે દોડી ગયા તેમને ખબર પડી કે તેમનું ઘર પણ પડી ગયું હતું. તો ખજૂર ભાઈએ તરત પોતાની ટીમને બોલાવીને તેને નવું ઘર બનાવી આપવાની શરૂઆત કરી ત્યારે આવા લોકો માટે ખજૂર ભાઈ દેવદૂત બની ગયા હોય તેમ લાગી રહ્યું છે.

કહેવાય છે કે ખજૂર ભાઈ અત્યાર સુધી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તેમની માટે દેવદૂત બન્યા છે એટલું જ નહીં પરંતુ અત્યાર સુધી તેમના ખિસ્સાના કરોડો રૂપિયા વાપરીને પણ ગરીબ લોકોની મદદ કરી છે અને એવા લોકોના દિલ જીતી લીધા છે ત્યારે ઘણા લોકોના આશીર્વાદ પણ તેમને મળ્યા છે.

નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચાઈ રહ્યા છે. તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઈ મા નથી હોતી પરંતુ આજના આ સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે. ખજૂર ભાઈ ને કેટલા વૃદ્ધોના આશીર્વાદ મળે છે તો કેટલાય લોકોનો પ્રેમ. આજ કારણ છે કે તેઓ હંમેશા લોકોની મદદ માટે તત્પર રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખજૂરભાઈને દિલથી સલામ…! વરસાદમાં આ બહેનને તકલીફ પડતી હતી, આ વાતની જાણ થતા ખજૂરભાઈ આ બહેનની કરી નાખી એવી મદદ કે…"

Leave a comment

Your email address will not be published.


*