બાળકોની બાબતમાં પતિ-પત્ની વચ્ચે થઈ ગયો મોટો ઝઘડો, પતિએ પત્ની સાથે કર્યું એવું કે પત્નીનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 5:57 pm, Mon, 18 July 22

મિત્રો ગુજરાત રાજ્યમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં બનેલી તેવી જે ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના નગવાડા ગામે એક પતિએ પોતાની પત્નીનો જ જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર બાળકોની બાબત પર પતિ પત્ની વચ્ચે ભારે ઝઘડો થઈ ગયો હતો.

ઝઘડો એટલો વધી ગયો કે પત્ની ભાગવા જતી હતી, ત્યારે પતિએ લાકડા વડે પત્નીના માથા પર પ્રહાર કર્યા હતા. જેથી પત્ની ઘટના સ્થળે જ બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તેને ઈજાગ્રસ્ત તાલકમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ તેનું તો ત્યાં સુધીમાં મૃત્યુ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને આરોપી પતિની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામે રહીને ખેત મજૂરી કામ કરતાં 35 વર્ષે પ્રવીણભાઈ તળશીભાઇ મકવાણા પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર પ્રવીણભાઈ તળશીભાઇ મકવાણા પોતાની પત્ની મીનાબેન અને બે બાળકો અને માતા-પિતા સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે.

મળતી માહિતી અનુસાર ઘટના બની તે દિવસે ઘરમાં બાળકો રમતા-રમતા ઝઘડવા લાગ્યા હતા, આ દરમિયાન પત્ની મીનાબેન પોતાના પતિ પ્રવીણભાઈને બાળકોનો ઝગડો અટકાવવાનું કહે છે. બહારથી મજૂરી કામ કરીને થાકીને આવેલા પ્રવીણભાઈ આ વાત સાંભળીને પોતાની પત્ની સાથે ઝઘડવા લાગે છે. ઝઘડો એટલો વધી ગયો કે મીનાબેન ઘરની બહાર નીકળીને મોહલ્લામાં ભાગવા લાગ્યા હતા.

ત્યારે પ્રવીણભાઈ લાકડું લઈને મીનાબેનની પાછળ દોડી હતા. આ દરમિયાન પ્રવીણભાઈ મીનાબેનના માથાના ભાગે લાકડા વડે પ્રહાર કર્યો હતો. આ કારણોસર મીનાબેન ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈચ્છા પહોંચી હતી. ત્યારબાદ મીનાબેનને બેભાન હાલતમાં 108 ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર મળે તે પહેલા તો મીનાબેનનું કરુણ મૃત્યુ નીપજ જીવ હતું. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આરોપી પતિ પ્રવીણભાઈ ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી પ્રવીણ ની માતા રેવીબેનની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર ઘટનાની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાળકોની બાબતમાં પતિ-પત્ની વચ્ચે થઈ ગયો મોટો ઝઘડો, પતિએ પત્ની સાથે કર્યું એવું કે પત્નીનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*