PI જીગ્નેશભાઈ લેઉવાનું 25 દિવસ બાદ દુઃખદ નિધન, 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…દોઢ મહિનાનો બાળક પિતાને સરખા ઓળખે તે પહેલા…

Published on: 8:26 pm, Thu, 3 November 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી વખત એવી ગંભીર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે હસતા ખલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ખાસ કરીને રાજ્યના મોટા શહેરોમાં હિટ એન્ડ રનની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.

થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક આર્મી મેનના દીકરાને બેફામ કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે યુવકનું મૃત્યુ થયું હતું. ત્યારે લગભગ 25 દિવસ પહેલા રાજભવનના પી.આઈ નો અકસ્માત થયો હતો. આ પીઆઈની સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું છે. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા પોલીસના પરિવારમાં દુઃખનું મોજુ ફરી વળ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરી હતી, રાજભવનમાં ફરજ બજાવતા અને સેક્ટર 3માં રહેતા જીગ્નેશ અમૃતભાઈ લેઉવા ગત મહિનાની સાતમી તારીખના રોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ જિલ્લા પંચાયતની સામેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ચ રોડ ઉપર એક ટુ વ્હીલર વળાંક વાળીઓ હતો. જેના કારણે જીગ્નેશ ભાઈની બાઈક અને તે ટુ વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં જીગ્નેશ ભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ PI જીગ્નેશભાઈ પોતાની બાઈક લઈને ઘરે જતા રહ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ અચાનક જ જીગ્નેશભાઈના માથામાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડી જવાના કારણે તેમને સાત તારીખના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં 25 દિવસની સારવાર મળી છતાં પણ જીગ્નેશભાઈની તબિયતમાં સુધારો થતો ન હતો. ગત મહિનાની 31 તારીખના રોજ સારવાર PI જીગ્નેશભાઈનું મૃત્યુ થયું હતું. જીગ્નેશભાઈના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયો હતો. જીગ્નેશભાઈના ઘરે હજુ દોઢ મહિના અગાઉ જ દીકરાનો જન્મ થયો હતો.

હજુ તો દીકરો પોતાના પિતાને સરખી રીતે ઓળખે તે પહેલા તો પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા. જીગ્નેશ ભાઈના મૃત્યુના કારણે એક દીકરાએ અને એક પાંચ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જીગ્નેશભાઈ ના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "PI જીગ્નેશભાઈ લેઉવાનું 25 દિવસ બાદ દુઃખદ નિધન, 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…દોઢ મહિનાનો બાળક પિતાને સરખા ઓળખે તે પહેલા…"

Leave a comment

Your email address will not be published.


*