કારચાલકની આ નાનકડી એવી ભૂલના કારણે સર્જાયો ગંભીર અકસ્માત, 11 લોકોના દર્દનાક મોત…રોડ ઉપર લાશનો ઢગલો થઈ ગયો…

Published on: 10:01 am, Fri, 4 November 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી રહે છે. ત્યારે ગુરૂવારના રોજ રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી. અહીં ખાલી પેસેન્જર બસ અને ટવેરા કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મૃતકોમાં 6 પુરુષો, 3 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહને ઝાલરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના બેતુલ-અમરાવતી સ્ટેટ હાઇવે ઉપર બની હતી. ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો બસ બેતુલ તરફ આવી રહી હતી, જ્યારે ટવેરા કાર પરતવારાથી મજૂરો સાથે આવી રહી હતી. બસ ઝાલર ગામથી લગભગ એક કિલોમીટર દૂર પહોંચી, ત્યારે ટવેરા કાર સાથે બસની ટક્કર થઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, આ ઘટનામાં કારમાં સવાર 11 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માત ની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહ કારમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના રાત્રે 2.15 વાગ્યાની આસપાસ બની હતી.

સમગ્ર ઘટનાને લઈને કાર ચાલકે પોલીસને જણાવ્યું કે, તેને કાર ચલાવતા ચલાવતા અચાનક જ ઊંઘ આવી ગઈ હતી, જેના કારણે તેની ટવેરા કાર સીધી બસ સાથે અથડાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને યોગ્ય તપાસ કર્યા બાદ પોલીસે મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેમના ગામે રહી જવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક દોઢ વર્ષના બાળક અને એક પાંચ વર્ષના બાળકને પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે છ પુરુષો અને ત્રણ મહિલાઓએ પણ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કારચાલકની આ નાનકડી એવી ભૂલના કારણે સર્જાયો ગંભીર અકસ્માત, 11 લોકોના દર્દનાક મોત…રોડ ઉપર લાશનો ઢગલો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*