મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને રાજી કરવા ઉપવાસ કરવાની જરૂર નથી… મંગળવારના દિવસે આ કાર્ય કરવાથી માં મોગલ હંમેશા માટે રાજી રહેશે…

Published on: 10:53 am, Sun, 7 January 24

આપણે સૌ જાણીએ જ છીએ કે માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલ પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોના દુઃખ દૂર કરે છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તમે માં મોગલ ના પરચા વિશે સાંભળ્યું જ હશે.

માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે, કચ્છના કબરાઉ માં બેઠેલી માં મોગલના દર્શન માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. અહીં બિરાજમાન મણીધર બાપુ પણ હંમેશા લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની સલાહ આપે છે.

ત્યારે અહીં બિરાજમાન મણીધર બાપુએ એકવાર કહ્યું હતું કે, માં મોગલને રાજી કરવા માટે કોઈપણ પ્રકારના ઉપવાસ કરવાની જરૂર નથી. મણીધર બાપુએ કીધું હતું કે, માં મોગલ અને ખુશ કરવા માટે કોઈ પણ વાર કે ઉપવાસ કરવાની જરૂર નથી. ગરીબને કપડાં આપશો અને તેમને ભોજન જમાડશો એટલે માં મોગલ હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે.

મણીધર બાપુએ કહ્યું કે, મંગળવારના દિવસે તમે ગરીબ બાળકોને જમાડશો એટલે માં મોગલના આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહેશે. મણીધર બાપુએ કહ્યું હતું કે, માં મોગલને કોઈ પણ પ્રકારના દાન ભેટની જરૂર નથી માં મોગલ તો ફક્ત ભક્તોના ભાવની ભૂખી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને રાજી કરવા ઉપવાસ કરવાની જરૂર નથી… મંગળવારના દિવસે આ કાર્ય કરવાથી માં મોગલ હંમેશા માટે રાજી રહેશે…"

Leave a comment

Your email address will not be published.


*