ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુએ કરી ભયંકર ભવિષ્યવાણી, કહ્યું કે 2024માં આ મોટી આફત આવશે અને તમે બધા…જુઓ વિડિયો…

Published on: 3:24 pm, Sun, 12 February 23

મિત્રો આ દુનિયામાં હજુ પણ ઘણા એવા લોકો છે. જેઓ આગળ શું થવાનું છે તેની ભવિષ્યવાણી કરતા હોય છે. આજના જમાનામાં લોકો ભવિષ્યવાણીમાં ખૂબ જ ઓછું માનતા હોય છે. તમે પ્રખ્યાત ભવિષ્યકાર બાબાવેગાનું નામ તો જરૂર સાંભળ્યું હશે. અત્યાર સુધીમાં તેમને ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી છે અને તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પણ પડી છે.

ત્યારે એવી જ રીતે ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુની ભવિષ્યવાણીનો એક વિડીયો થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં પોતાની પાસે બેઠેલા લોકોને કરસનદાસ બાપુ આવનારો સમય કેવો આવશે તેની વિશે વાત કરી રહ્યા હતા. જેમાં કરસનદાસ બાપુ વાત કરી રહ્યા છે કે, બધા આવનારા સમયમાં અનાજ ભેગું કરીને રાખજો.

આવનારા સમયમાં પોતપોતાના ખેતરમાં બાજરી અને જુવાર વાવી દેજો. જો તમારી પાસે બાજરી હશે તો તમે બાજરી અને પાણી પીને પોતાના દિવસો કાઢી શકશો. આવા દિવસો 2024 માં આવશે. માટે ખેતરમાં અનાજ વાવી દેજો. કરસનદાસ બાપુની આજુબાજુ ઘણા લોકો દેખાઈ રહ્યા છે અને તેઓ શાંતિથી બેસીને બાપુની વાત સાંભળી રહ્યા છે.

કરસનદાસ બાપુ ના જણાવ્યા અનુસાર, આવનારા સમયમાં ખૂબ જ મોટો ભૂખમરો આવશે અને આ ભૂખમરાની અંદર 6 કરોડ લોકો મૃત્યુ પામશે. માટે કરસનદાસ બાપુ બધાને અત્યારથી જ તૈયારીમાં રહેવાની સલાહ આપી રહ્યા છે. જેથી ભૂખ મરાના દિવસો આવે ત્યારે તમે બચી જાઓ. મિત્રો તમને જણાવી દે કે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હતી.

ત્યારે પણ કરસનદાસ બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે પણ લોકોએ લાખોની સંખ્યામાં બાપુનો આ વિડીયો જોયો હતો. જેવી રીતે દુનિયામાં વારંવાર એક પછી એક કુદરતી આફતો આવી રહે છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

જો આવી પરિસ્થિતિ સર્જાય તો તેની કલ્પના કરવી પણ ખૂબ જ મુશ્કેલ છે. હાલમાં વાયરલ થઈ રહેલો વિડિયો કરસનદાસ બાપુનો જ છે કે કોઈ બીજાનો તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. તેથી અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુએ કરી ભયંકર ભવિષ્યવાણી, કહ્યું કે 2024માં આ મોટી આફત આવશે અને તમે બધા…જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*