વાંસદામાં એક પરિવારે વૃક્ષ પર લટકીને પોતાનો જીવ ટૂંકો કર્યો, જાણો શા માટે કર્યું આવું…

Published on: 4:16 pm, Wed, 1 September 21

દેશમાં કોરોનાની મહામારી અનેક પરિવારો વિખાઈ ગયા છે. ત્યારે નવસારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારી જિલ્લાના વાસદમાં એક પરિવારના ત્રણ સભ્યોએ એક સાથે પોતાનો જીવ કર્યો છે. મળતી માહિતી અનુસાર કોરોના ની સારવાર બાદ માનસિક રીતે અસ્થિર થયેલા યુવકે આંબાના ઝાડ પર લટકીને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

આ ઉપરાંત આંબાના ઝાડ પર પોતાના જવાન દીકરાના મૃતદેહને જોઈને માતા અને પિતા એ પણ નજીકની ડાળીમાં લટકાને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. ત્યારે મૃત્યુ પામેલા યુવાનની બહેન યુવાનની શોધખોળ કરવા નીકળી હતી.

ત્યારે તેને આંબાના ઝાડ પર ભાઈ અને તેની બાજુમાં માતા-પિતાના મૃતદેહને લટકતા જોયા હતા. મૃત્યુ પામેલા યુવાનને એક ત્રણ વર્ષની બાળકી પણ હતી. મૃત્યુ પામેલા યુવક વાંસદા તાલુકાના મોળાઆંબા ગામમાં રહેતા.

મળતી માહિતી અનુસાર એક વર્ષ પહેલા યોગેશ ને કોરોના થયો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. યોગેશ ની સારવાર બાદ યોગેશ માનસિક રીતે અસ્થિર થઈ ગયો હતો.

તેના કારણે યોગેશે ત્રણ વખત પોતાનો જીવ ટૂંકો કરવાના પ્રયાસ કર્યા હતા. યોગેશ નું પરિવાર પોતાનું ગુજરાન ખેતી કરીને ચલાવતું હતું. તેના કારણે યોગેશે આંબાના ઝાડ પર લડકી ને પોતાનું જીવન ટૂંકું કર્યું હતું.

આ ઘટના અને તેના માતા-પિતા ન જોઈ શક્યા અને તેના માતા-પિતાએ પણ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. આ ઘટના બનતા આખા ગામમાં અફરાતફરી મચી ગઇ છે. ગામના તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાંસદામાં એક પરિવારે વૃક્ષ પર લટકીને પોતાનો જીવ ટૂંકો કર્યો, જાણો શા માટે કર્યું આવું…"

Leave a comment

Your email address will not be published.


*