દીકરી ગ્રીષ્મા વેકરીયાના મામલે અલ્પેશ ઠાકોરે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું કે…

Published on: 10:42 am, Wed, 16 February 22

સુરતમાં પાસોદરામાં બનેલી ઘટના સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. પાસોદરા પાટીયા પાસે આવેલા લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતા ફેનીલ ગોયાણી નામના એક યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બનીને ગ્રીષ્મા નામની દીકરીનો તેના જ પરિવાર સામે જાહેરમાં જીવ લઇ લીધો હતો.

આ ઘટના બન્યા બાદ ગુજરાતની જનતા ભારે રોષ માં ભરાય છે. લોકો અલગ-અલગ માધ્યમથી દીકરી ગ્રીષ્માને ન્યાય આપવાની માગણી કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ ઠાકોર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ખાતે પાટોત્સવમાં સુરતમાં બનેલી આ સમગ્ર ઘટનાને આકરા શબ્દોમાં વખોડી હતી.

આ સમગ્ર ઘટનાને લઇને અલ્પેશ ઠાકોરે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જીવ લઈ લેવાના બનાવો વધી રહ્યા છે. આ ઉપરાંત કહ્યું કે કેટલાક અસામાજીક તત્વો જાહેરમાં બહેનો દીકરીઓ પર ત્રાસ કરતા અને જુલમ કરતા જોવા મળી રહ્યા છે.

ત્યારે અલ્પેશ ઠાકોરે કહ્યું, સુરતમાં થોડાક સમય પહેલા જ કાળજુ કંપાવી નાખે એવી ઘટના સામે આવી હતી જ્યાં એક યુવકે જાહેરમાં જ એક દીકરીનો જીવ લઇ લીધો હતો.

આ ઘટના વિશે તેમણે વધુમાં જણાવ્યું કે, કાળજુ કાપી ઊઠે, મને એવું થઈ રહ્યું છે કે રિવોલ્વરથી આ આરોપીને જીવ લઈ લઉં. આ બધું કેવી રીતે ચાલે? આ ઉપરાંત અલ્પેશ ઠાકોર બેહનો દીકરીઓના રક્ષા માટે યુવાનોને ખાસ સંદેશ આપ્યો છે.

તેમણે જણાવ્યું કે હું મારા તમામ યુવાનો ને કહું છું કે, ક્યારે પણ બહેનો દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવાનું. આપણે આવા અસામાજીક તત્વોને ઊંચા નથી થવા દેવાના.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરી ગ્રીષ્મા વેકરીયાના મામલે અલ્પેશ ઠાકોરે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*