સુરતમાં પતિએ પત્નીનો ગળુ દબાવીને લીધો જીવ – જાણો શા માટે પતિએ ભર્યું આ પગલું…

Published on: 9:31 am, Wed, 16 February 22

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં એક પતિએ પોતાની જ પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર ચારિત્ર્યની શંકા રાખીને પત્નીનો જીવ લઈ લીધો છે તેવું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના કાપોદ્રા વિસ્તારમાં બની હતી.

કાપોદ્રા વિસ્તારમાં આવેલી શર્મા સોસાયટીમાં પતિએ જ પોતાની પત્નીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર પતિએ પત્નીનો જીવ લઈ લીધા બાદ મૃતદેહ પાસે જ સૂઈ જઈને આખી રાત વીતાવી હતી.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ દયાબેન હતું.

દયાબેન ત્રણ-ચાર મહિના પહેલા પરિવારને છોડીને પ્રેમી સાથે ભાગી ગયા હતા. સમાજમાં આબરૂ ન જાય એ માટે દયાબેનના પત્ની વિઠ્ઠલભાઈ સમજાવીને પતાવટ કરી અને પત્નીને તેડી લાવ્યા હતા.

ત્યારબાદ બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર માથાકૂટ થઇ હતી. બસ આ બાબતને લઈને જ વિઠ્ઠલભાઈ પોતાની પત્ની દયાબેન નો જીવ લઈ લીધો છે તેવું સામે આવી રહ્યું છે.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પત્ની પર શંકા રાખીને પતિએ તેનો જીવ લઇ લીધો હતો. હાલમાં તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં પતિએ પત્નીનો ગળુ દબાવીને લીધો જીવ – જાણો શા માટે પતિએ ભર્યું આ પગલું…"

Leave a comment

Your email address will not be published.


*