માં મોગલની માનતા રાખવાથી આ વ્યક્તિનું ઘણા સમયથી ન વેચાતું મકાન વેચાઈ ગયું, માનતા પૂરી કરવા આ વ્યક્તિ 103000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

Published on: 6:28 pm, Fri, 22 July 22

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે ભક્તોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેઓ માં મોગલ ને અચુક યાદ કરતા હોય છે. કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. સાચા દિલથી માં મોગલ ને માનો તો માં મોગલ પણ રાજી રાજી થઈ જશે અને સાથે ભક્તોનું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે.

સાંભળ્યું છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે, ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક યુવક પોતાની બનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે ત્યારે તમે પણ એક કિસ્સો સાંભળીને કહી શકશો કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એટલે જ માં મોગલ એ તમારી માનતા સાંભળી છે.

સાંભળ્યું છે કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો ત્યારે મણીધર બાપુના આશીર્વાદ લીધા મણિધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માનતા હતી.

ત્યારે યુવકે કહ્યું કે તેનું કેટલા સમયથી મકાન વેચાતું ન હતું તે માં મોગલ પર શ્રદ્ધા રાખી અને માનતા માની હતી કે થોડા સમયમાં જ એ મકાન વેચાઈ ગયું અને ઘણા સમયથી કામકાજ પણ બંધ હતું. તે પણ હવે ચાલુ થઈ ગયું તેથી માનતા પૂરી કરવા માટે માં મોગલના ચરણે 103000 અર્પણ કરવા આવ્યો છું.

એવામાં જ મણીધર બાપુએ ₹1,03,000 માં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી 10 ગણી માનતા સ્વીકારી છે અને આ રૂપિયા તારી બેનને આપજે માં મોગલ ને રાજી રાજી થશે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ આ યુવકને ફળ્યો છે.એવી જ રીતે ઘણા ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થઈ છે.

યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે પોતાના ઘરના સભ્યોને લઈને કબરાઉ ધામ આવીને માં મોગલ ધામના ચરણે એક લાખ ત્રણ હજાર રૂપિયા અર્પણ કર્યા હતા. ત્યારે મણીધર બાપુએ કહ્યું હતું કે આ કોઈ ચમત્કાર નથી માં મોગલ ને કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે.જય માં મોગલ

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની માનતા રાખવાથી આ વ્યક્તિનું ઘણા સમયથી ન વેચાતું મકાન વેચાઈ ગયું, માનતા પૂરી કરવા આ વ્યક્તિ 103000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*