સુરતમાં હીરાના ક્લાસ ચલાવતા યુવકે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું – જાણો યુવકે શા માટે આ પગલું ભર્યું…

Published on: 12:08 pm, Sat, 28 May 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે સુરત શહેરમાં એક 27 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. યુવકનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ રાહુલ પ્રભાકરભાઈ સાલુકે હતું. રાહુલ પનાસમાં હીરા બનાવવાના ક્લાસ ચલાવતો હતો. રાહુલ પોતાના પરિવાર સાથે પનાસ ગામમાં આવેલા મનપા આવાસ નજીક પ્રજ્ઞા નગરમાં રહેતો હતો. રાહુલે ગુરૂવારના રોજ સવારે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર રાહુલે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે એવું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર રાહુલ લગ્ન બાદ પોતાની પત્ની સાથે તેના સાસરિયાની બાજુમાં મકાન રાખીને રહેવા લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, રાહુલને તેની પત્ની અને સાસુ કોઈ કોઈ બાબતે ત્રાસ આપતી હતી.

જેથી રાહુલે આ લોકોના ત્રાસથી કંટાળીને પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આટલું જ નહીં પરંતુ રાહુલની પત્ની કોઈવાર રાહુલને ઘરની બહાર કાઢી મુકી હોવાનું પણ રાહુલના પરિવારજનોએ જણાવ્યું હતું. રાહુલના પરિવારજનોનો આક્ષેપ છે કે, સાસરિયાઓએ ફાંસી આપીને રાહુલનો જીવ લઈ લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં હીરાના ક્લાસ ચલાવતા યુવકે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું – જાણો યુવકે શા માટે આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*