રાજકોટમાં બોલાચાલીમાં એક યુવકે 50 વર્ષના વ્યક્તિનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 11:30 am, Fri, 4 February 22

રાજકોટમાં એક 50 વર્ષના વ્યક્તિનો જીવ લઈ લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કુવાડવા રોડ પોલીસ મથકની સામે આવેલ દેવનગરના ઢોરે આ ઘટના બની હતી. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટનામાં હસમુખભાઈ ચકુભાઈ ફતેપુરા (ઉંમર 50 વર્ષ)નું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર હસમુખભાઈને બોલાચાલી થઇ હતી. આથી હસમુખભાઈ પર પાઈપના પ્રહાર કરવામાં આવ્યા હતા.

હસમુખભાઈનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર હસમુખભાઇને હિતેશ નામના વ્યક્તિ સાથે બોલાચાલી થઇ હતી. અને ત્યારબાદ હિતેશ હસમુખભાઈનો જીવ લઈ લીધો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે હિતેશ ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગઈકાલે દેવનગરના ઢોરે બપોરના સમયે બની હતી. હસમુખભાઈ અને હિતેશભાઈ વચ્ચે કોઈ બાબતને લઈને માથાકુટ થઇ હતી.

બોલાચાલી એટલી વધી ગઈ કે હિતેશ પાઇપ વડે હસમુખભાઈ પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં હસમુખભાઈ નું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

કોઈકે 108ની આ ઘટનાની જાણ કરી હતી. આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટના બન્યા બાદ હસમુખભાઈ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં બોલાચાલીમાં એક યુવકે 50 વર્ષના વ્યક્તિનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*