અમદાવાદના એક યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – આ પગલું ભરવાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો.

Published on: 5:27 pm, Tue, 25 January 22

અમદાવાદમાં બનેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ રાણીપ વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમ નજીક કેવાલ નિવાસ આવેલું છે. ત્યાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ બપોરના સમયે બની હતી.

મળતી માહિતી અનુસાર મિલ પાટીલ નામના યુવકે ગળે દુપટ્ટો બાંધીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પાટીલના માતા અને પિતાએ જણાવ્યું કે, નીલ ડિપ્લોમા અભ્યાસ કરતો હતો. આ ઉપરાંત નીલને પોતાની સાથે અભ્યાસ કરતી એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો.

જેને લઇને પિતાએ થોડાક દિવસ અગાઉ નીલને જણાવ્યું હતું કે, આ અભ્યાસ કરવાનો સમય છે, પ્રેમ કરવાનો નહીં. બસ પોતાના પિતાએ કીધેલી આ વાતનું જ નીલને ખૂબ જ ખોટું લાગી ગયું હતું.

તેના કારણે આ પગલું ભર્યું હતું. મૃત્યુ પામેલા નીલના પિતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ કરી પરંતુ મૃત્યુ પામેલા નીલના મોબાઇલ કે રૂમમાં કોઈપણ સુસાઇડ નોટ મળી નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદના એક યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – આ પગલું ભરવાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો."

Leave a comment

Your email address will not be published.


*