મહામારીમાં વાલીઓ માટે અત્યંત રાહત ના સમાચાર સામે આવ્યા છે. મહામારીના કપરા સમયમાં જયા અનેક લોકોના ધંધા અને રોજગાર બંધ પડ્યા છે ત્યારે આવા સમયે લોકોને બે ટક ખાવાના પણ ફાફા પડવા લાગ્યા છે ત્યારે સંતાનોની શાળાની ફી ભરવી અનેક પરિવારોને લાચાર સ્થિતિમાં મૂકી દીધા હતા.
જોકે હવે રાજ્ય સરકાર તરફથી થોડી રાહત આપવામાં આવી છે. જાહેરાત કર્યા પ્રમાણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓની ફી પરત કરવામાં આવશે. આ નિર્ણય થી 3.50 લાખ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત થવાની છે. આગામી દિવસોમાં 6.47 કરોડ રૂપિયા પેટે પરત ચૂકવવામાં આવશે.
મહામારી ના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતા પણ વધારે સમયથી ઓનલાઇન શિક્ષણ ચાલુ રહ્યુ છે એટલે કે વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ લઈ રહા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય ને જોતા અને સ્વાસ્થય ને ખતરો ન આવે તે માટે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
મહામારીમાં સમયમાં શાળાઓ બંધ છે, વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આવા સમયે સ્વાભાવિક છે કે દરેક પરિવાર પાસે ઈન્ટરનેટ વ્યવસ્થા ન પણ હોય, આવા સમયે વાલીઓના ખર્ચે પણ વધ્યા, મોબાઇલ ની વ્યવસ્થા કરવી પડે.
વિદ્યાર્થીઓને આ રીતે શિક્ષણ અપાતા થયા છે. આવા સમયે ગરીબ અને માધ્યમ વર્ગ ના વાલીઓને આને કારણે મોટો આર્થિક બોજ પણ આવ્યો છે, જોકે રાજ્ય સરકાર ના આ નિર્ણય થી વાલીઓને અમુક અંશે રાહત થવાની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આવ્યા અત્યંત રાહત ના સમાચાર, વિદ્યાર્થીઓને આ ફી પરત કરાશે."