વાઘોડિયાના પ્રેમી અને પ્રેમિકાએ સાથે કેનાલમાં કૂદીને પોતાનો જીવ ટૂંકો કર્યો, જાણો આવું શા માટે કર્યું…

Published on: 2:08 pm, Sat, 25 September 21

સમગ્ર દેશમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણા લોકો પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના અને કોઈક મજબૂરીના કારણે પોતાનો જીવ ટૂંકો કરે છે. ત્યારે વાઘોડિયા માંથી એક જીવ ટૂંકો કરવાની ઘટના સામે આવી છે.

જેમાં બે પ્રેમી પંખીડા ઓ કેનાલમાં કૂદીને પોતાનો જીવ ટૂંકો કરે છે. મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ 19 વર્ષની ગોરી નામની યુવતી અને 21 વર્ષના જયદીપ નામનો યુવક એકબીજાને બહુ પ્રેમ કરતા હતા

પરંતુ પરિવાર અને સમાજ તેમના સંબંધને સ્વીકારશે નહીં એમ માનીને બંને પ્રેમી પંખીડાઓ ઘર છોડીને ભાગી ગયા હતા. બંને ભાગ્ય ત્યારે પોતાની પાસે આધાર કાર્ડ, નવા કપડા, મંગળસૂત્ર, સિંદૂર રાખ્યું હતું.

અને ત્યાર બાદ રસ્તામાં ખંડીવાડા અને અડીરણ વચ્ચે મુખ્ય નર્મદા કેનાલ પાસે બાઈક ને રોકી દીધી હતી. ત્યાર બાદ યુવક પોતાની સાથે આવેલી યુવતીની માથામાં સિંદૂર પૂરે છે અને મંગળસૂત્ર પહેરાવી ની બંને એકસાથે નર્મદા કેનાલમાં કૂદીને પોતાનો જીવ ટૂંકો કરે છે.

ઉપરાંત કેનાલમાં બંને કૂદે તે પહેલા મોબાઇલમાં સેલ્ફી લીધી હતી અને ત્યારબાદ બંને કેનાલમાં કૂદી ગયા હતા. પોતાની સાથે લાવેલ ઓ તમામ સામાન કેનાલના કિનારે મૂકીને કેનાલમાં કૂદી ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આ સમગ્ર ઘટનાને લઈને બન્નેને પરિવારને જાણ કરી હતી બંને ના પરિવાર ને જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાઘોડિયાના પ્રેમી અને પ્રેમિકાએ સાથે કેનાલમાં કૂદીને પોતાનો જીવ ટૂંકો કર્યો, જાણો આવું શા માટે કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*