દાહોદમાં ત્રિપલ અકસ્માત : રક્ષાબંધનના દિવસે 4 બહેનોએ અકસ્માતમાં પોતાના 4 ભાઈઓને ગુમાવ્યા….

Published on: 10:02 am, Mon, 23 August 21

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે ત્યારે દાહોદમાં જુદી જુદી જગ્યાએ એક સાથે ત્રણ અકસ્માત સર્જાયા છે. મળતી માહિતી મુજબ અકસ્માતના ચાર લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત એક મહિલા સહિત બે લોકોને ઇજા પહોંચી છે. તેઓને સારવાર માટે નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ખજુરીયા ના જાનુભાઈ દલાભાઈ મીના તેમજ તેમની પત્ની ટીના બેન બાઈક પર દાહોદ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ઝડપથી આવેલા એક અજાણ્યા પીકપ ચાલકે તેઓના તેઓના બાઈકને ટક્કર મારી હતી. જેમાં પતિ પત્નીને ઈજા પહોંચી હતી અને જાનુ ભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ટીના બેન ને ઈજા પહોંચી તે માટે તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજો અકસ્માત ઝાલોદ તાલુકા આસપાસ થયો હતો.

મળતી માહિતી મુજબ દિનેશભાઈ કાળુભાઈ કટારા બાઈક લઈને શાકભાજી લેવા ગયા હતા ત્યારે અન્ય બાઇક ચાલકે તેમને ટક્કર મારી હતી અને ચક્કરમાં દિનેશભાઈ નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ત્રીજો અકસ્માત ઇન્દોર અમદાવાદ હાઈવે પર થયો હતો. મળતી માહિતી મુજબ આઈસર ટેમ્પાના ચાલકે એક બુલેટ ચાલકને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ઇશ્વરભાઇ અને શિવરામભાઈ નામના બે વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેમજ ધર્મેશભાઈ નામના એક વ્યક્તિને ઈજા પહોંચી હતી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દાહોદમાં ત્રિપલ અકસ્માત : રક્ષાબંધનના દિવસે 4 બહેનોએ અકસ્માતમાં પોતાના 4 ભાઈઓને ગુમાવ્યા…."

Leave a comment

Your email address will not be published.


*