અંબાજી-અમદાવાદ હાઈવે પર એક લક્ઝરી બસનું અકસ્માત, 25 થી પણ વધારે ઇજાગ્રસ્ત…

Published on: 4:18 pm, Sun, 22 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે રક્ષાબંધનની પૂર્વ રાત્રે સાબરકાંઠાના હિંમતનગરમાં એક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના અંબાજી અમદાવાદ હાઇવે પરની છે. અંબાજી અમદાવાદ હાઈવે પર એક લક્ઝરી બસ અચાનક પલટી ખાઇ જતા બસમાં સવાર 25 થી પણ વધારે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડયા હતા. આ ઉપરાંત પોલીસ દ્વારા આ મામલા પર વધુ તપાસ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના હિંમતનગર પાસે આવેલા વક્તાપુર ગામ નજીક એક લક્ઝરી બસ અચાનક પલટી ખાઇ ગઇ હતી. બસમાં આશરે 50 જેટલા મુસાફરો સવાર હતા.

જેમાંથી 25 મુસાફરોને ઈજા પહોંચી હતી અને મળતી માહિતી મુજબ બે વ્યક્તિને ખૂબ જ ગંભીર ઇજા પહોંચી છે.

પોલીસ દ્વારા બસના કાચ તોડીને બસમાંથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓને 108 મારફતે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અંબાજી-અમદાવાદ હાઈવે પર એક લક્ઝરી બસનું અકસ્માત, 25 થી પણ વધારે ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*