આ વ્યક્તિએ ધંધા માટે માં મોગલની માનતા રાખી, માતાજીની કૃપાથી ધંધામાં પ્રગતિ મળી, આ વ્યક્તિ માનતા પુરી કરવા મોગલધામ પહોંચ્યા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

Published on: 2:10 pm, Sun, 26 June 22

કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. માં મોગલ ના પરચા અપરમપાર રહ્યા છે માં મોગલના દર્શન માત્રથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સમસ્યાઓ દૂર થાય છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે.

માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. આજ દિન સુધી માં મોગલ આજદિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે, ત્યારે કહેવાય છે કે જ્યારે ભક્તોના જીવનમાં દુખ આવે છે ત્યારે તેઓ અચૂક માં મોગલને યાદ કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ પણ પોતાના ભક્તોને ક્યારેય દુઃખી જોઇ શકતાં નથી ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

જ્યાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ મોગલ ધામએ આવી પહોંચ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ યુવક માં મોગલ ના ચરણે 15550 રૂપિયા અર્પણ કરવાની માનતા માની હતી.

જે તેણે મણીધર બાપુ ના ચરણે અર્પણ કર્યા અને મણીધર બાપુના આશીર્વાદ લીધા. મણીધર બાપુ એ પણ એ યુવકને આશીર્વાદ આપતા કહ્યું કે બેટા તે શેની માનતા માની હતી. એ યુવકે કહ્યું કે મેં મારા ધંધા ને લઈને માં મોગલની માનતા માની હતી, ત્યારે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેનાથી મારા ધંધામાં ખૂબ જ પ્રગતિ થઈ છે.

તેથી માં મોગલ ની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો છે ત્યારે મળીશ બાપુએ એ 15550 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા અને આશીર્વાદ આપ્યા. મણીધર બાપુએ એક યુવકને વિશેષમાં કહ્યું કે આ પૈસા તારી બેનને આપજે માં મોગલ રાજી થશે.

એટલું જ નહીં પરંતુ તારી માનતા માં મોગલ 100 ગણી સ્વીકારી છે કહેવાય છે કે માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. આ કોઈ ચમત્કાર ન માનતાં તમે માં મોગલ રાખેલો વિશ્વાસ તે જ તમને ફળ્યો છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિએ ધંધા માટે માં મોગલની માનતા રાખી, માતાજીની કૃપાથી ધંધામાં પ્રગતિ મળી, આ વ્યક્તિ માનતા પુરી કરવા મોગલધામ પહોંચ્યા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*