નર્મદા કેનાલમાંથી 23 વર્ષના યુવકનું મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ – જાણો શું છે સમગ્ર ઘટના

Published on: 3:58 pm, Mon, 7 February 22

કોયબા રોડ પરથી પસાર થતી કેનાલમાં હળવદના શક્તિનગર ગામ નજીક આવેલા નકલંક ટાઉનશિપમાં રહેતા 23 વર્ષના યુવાને ગઈકાલે રવિવારે જંપલાવ્યું હતું. જેને ડુબીયા બાદ 20 કલાકની ભારે જહેમત બાદ યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનનું નામ ધમાભાઈ ભુંભરીયા હતું. તે ગઈ કાલે સવારે સાત વાગ્યાની આસપાસ દૂધ લેવા માટે ઘરેથી હળવદ જવા માટે નીકળ્યો હતો.

બે કલાક થયા બાદ પણ યુવાન ઘરે ન આવ્યો ત્યારે પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે યુવાનની બાઈક, દૂધથી ભરેલું કેન અને મોબાઈલ કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલના કાંઠેથી મળી આવ્યું હતું. ત્યારબાદ કેનાલની અંદર યુવકની શોધખોળ શરૂ કરી હતી.

મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરથી જ યુવકની શોધખોળ કેનાલમાં શરૂ કરી હતી. પરંતુ સાંજ થતાં પણ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ યુવાનના પરિવારજનો એ વોટરપ્રુફ કેમેરા થી નર્મદા કેનાલમાં તેની શોધખોળ કરી હતી.

ત્યારે રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ પ્રતાપનું મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું હતું. યુવકના મૃત્યુ નુ સાચું કારણ સામે આવ્યું નથી. અકસ્માત થયા બાદ યુવક કેનાલમાં પડ્યો કે યુવકે કેનાલમાં કૂદીને પોતાનો જીવ આવ્યો છે.

તેની હજુ કોઈ પણ માહિતી મળી નથી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રતાપના મૃત્યુના કારણે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નર્મદા કેનાલમાંથી 23 વર્ષના યુવકનું મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ – જાણો શું છે સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*