રાજુલામાં રામાપીરના આખ્યાનમાં 23 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત…પરિવારે એકનો એક લાડકવાયો દીકરો ગુમાવ્યો…

Published on: 11:25 am, Thu, 19 October 23

ગુજરાતમાં એક પછી એક હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહે છે. ત્યારે રાજુલામાં બનેલી હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. અહીં કોળી સમાજની વાડી ખાતે રામાપીરનું આખ્યાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક 23 વર્ષના યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો.

ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે જણાવ્યું કે યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ દિનેશ શિયાળ હતું.

દિનેશના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો રાત્રે હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ દિનેશ નામ મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પરિવારના સભ્યોનું નિવેદન લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

મળતી માહિતી અનુસાર દિનેશના પિતા નું આજથી ઘણા સમય પહેલા દુઃખદ નિધન થયું હતું. દિનેશના ભાઈનું પણ અવસાન થયું હતું અને ત્યાર પછી દિનેશ પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો હતો. તેવામાં દિનેશ નું હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

ગુજરાતમાં સતત વધતા હાર્ટ એટેકના બનાવના કારણે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધ્યા છે. ખાસ કરીને નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજુલામાં રામાપીરના આખ્યાનમાં 23 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત…પરિવારે એકનો એક લાડકવાયો દીકરો ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*