સુરતમાં યુવકનું રહસ્યમય મોત… બે બાળકોના પિતાને એવું દર્દનાક મોત મળ્યું કે… હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

Published on: 2:13 pm, Sun, 11 June 23

Surat: સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક કિસ્સો સુરતમાં ઉધના મગદલ્લા ખાતેથી સામે આવ્યો છે, સુરતના(Surat) ઉધના મગદલ્લા(Udhna Magdalla) ખાતે કોમલ સર્કલ પાસે ઈલેક્ટ્રીકની દુકાનમાં યુવાન બંને હાથ વાયર સાથે બાંધેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

જોકે તેની પત્ની તેના બાંધેલા વાયર ખોલવા જતા કરંટ નો ઝટકો લાગ્યો હતો. પોલીસને યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા છે, તેને નવી સિવિલ હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં અંબિકા રો હાઉસમાં રહેતા 36 વર્ષીય દયાનંદ નંદકિશોર આહીરાવ ઉધના મગદલ્લા રોડ પર કોમલ સર્કલ પાસે આવેલી ઈલેક્ટ્રીક ની દુકાન માં નોકરી કરતો હતો.

તેની પત્ની નજીકમાં પ્રાઇવેટ નોકરી કરે છે. પત્નીએ કોલ કર્યા છતાં રિસીવ ન કર્યા તેથી તે દુકાને દોડી ગઈ હતી, જ્યાં પતિ દયાનંદ બંને હાથ વાયર થી બાંધેલી હાલતમાં બેભાન મળતા ચોકી ગઈ હતી. તે વાયર ખોલવા જતા તેને કરંટ નો ઝટકો લાગતા ચીસાચીસ કરી હતી, ત્યારબાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

પરિવારના સભ્યોએ પણ દયાનંદના મોત અંગે શંકા વ્યક્ત કરી છે, પ્રાથમિક તપાસમાં તેણે વાયર બાંધી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ જાણવા મળશે, તે મૂળ મહારાષ્ટ્રના વતની હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, પિતાના મોતને લઈને બે સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં યુવકનું રહસ્યમય મોત… બે બાળકોના પિતાને એવું દર્દનાક મોત મળ્યું કે… હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*