સીએની પરીક્ષામાં નાપાસ થતાં બે ભાઈની લાડલી બહેને કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું કે…

Published on: 11:25 am, Fri, 10 May 24

ગુજરાત રાજ્યમાં ઘણી વખત આપઘાતના કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પરિણામના કારણે આવા પગલા પડતા હોય છે ત્યારે રાજકોટના કોઠારીયા રોડ પર રહેતી 21 વર્ષે યુવતીએ ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો છે

અને આપઘાત પાછળનું માત્રને માત્ર કારણ એટલું કે તે સીએ ની પરીક્ષામાં નાપાસ થઈ હતી. જોકે આપઘાત પહેલા યુવતીએ સુસાઈડ નોટ લખી હતી જે પોલીસને મળી આવી છે અને હાલ તો પોલીસ સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર કોઠારીયા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતી 21 વર્ષીય માનસી ગઢીયા સીએ ની પરીક્ષા માટે તૈયારી કરતી હતી અને ગતરો જ રાત્રે 12:30 વાગ્યા સુધી તે ઘરે વાંચી રહી હતી અને પછી દીકરીને સૂઈ જવાનું કહી મા બાપ રૂમમાં સુવા ચાલ્યા ગયા

અને સવારે જોયું તો દીકરીએ પંખા સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ પછી માનસીને નીચે ઉતારી 108 ને જાણ કરી ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કરી છે ને પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.પરિવારની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે

કે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી પણ તેમ છતાં દીકરીને સીએ ભણાવતા હતા અને પિતાને ઘર પાસે પાનની દુકાન છે બે ભાઈ અને એક બહેનમાં તે નાની હતી અને એવું સામે આવ્યું છે કે માનસિક થોડાક સમયથી ડિપ્રેશનમાં હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સીએની પરીક્ષામાં નાપાસ થતાં બે ભાઈની લાડલી બહેને કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*