ગર્ભવતી માતા અને તેના 5 વર્ષના દીકરાનો જીવ લઈ લેવામાં આવ્યો…બંનેના મૃતદેહને બેડની અંદર છુપાવ્યા…જાણો સમગ્ર ઘટના…

Published on: 10:36 am, Tue, 30 August 22

આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બેંક મેનેજરની ગર્ભવતી પત્ની અને 5 વર્ષના દીકરાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આરોપીઓએ માતા અને દીકરાનું ગળું દબાવીને બંનેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ બંનેના મૃતદેહને બેડની અંદર નાખી દીધા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના મેરેજ શહેરથી 45 km દૂર હસ્તિનાપુરમાં બની હતી. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સોમવારના રોજ રાત્રે બેંક મેનેજર જ્યારે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો બંધ જોવા મળ્યો હતો.

સૌપ્રથમ બેંક મેનેજર ને લાગ્યું કે તેની પત્ની શીખા તેના દીકરા રુદ્રાશની ડોક્ટર પાસે લઈને ગઈ હશે. તેથી બેંક મેનેજરે તેની પત્નીને ફોન કર્યા પરંતુ તેની પત્નીએ ફોન ઉપાડ્યા નહીં. ત્યારબાદ બેંક મેનેજરને શંકા ગઈ તેથી તેને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.

આ દરમિયાન પોલીસને ઘરની અંદર તપાસ કરતા બેડની અંદરથી બેંક મેનેજરની પત્ની સીખા અને તેના દીકરા રુદ્રાશનું મૃતદેહ મળી આવતું હતું. મળતી માહિતી અનુસાર બેંક મેનેજરના ઘરમાંથી એક સ્કુટી ગાયબ હતી અને ઘરનો સામાન વિખરાઈ ગયેલો પડ્યો હતો. બદમાશોએ લૂંટ કરી અને ત્યારબાદ માતા અને દીકરાનો જીવ લઈ લીધો તેવું ધારીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બેંક મેનેજરનું નામ સંદીપકુમાર છે. તે પંજાબ નેશનલ બેંકનો મેનેજર છે. સોમવારના રોજ સવારે સંદીપ દરરોજની જેમ બેંકે ગયો હતો. ઘરે તેની પત્ની શીખા અને તેનો 5 વર્ષીય દીકરો રુદ્રાશ હતા. બેંક મેનેજરની પત્ની શીખા ગર્ભવતી હતી. સંદીપ લગભગ રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘરે આવ્યો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો બંધ જોયો હતો.

તેથી સંદીપ એ પોતાની પત્નીને ફોન કર્યા પરંતુ તેની પત્ની ફોન ઉપાડતી ન હતી. તેથી સંદીપ તેના પડોશમાં રહેતા તેના મિત્રના ઘરે ગયો હતો. ત્યારબાદ સંદીપ એ ઘણી બધી વખત પોતાની પત્નીને ફોન કર્યા પરંતુ તેની પત્ની ફોન ઉપાડતી ન હતી. ત્યારબાદ સંદીપ ને એવું લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે તેથી તેને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે ઘરનો દરવાજો તોડીને જ્યારે અંદર પ્રવેશ કર્યો, ત્યારે સંદીપની પત્ની અને તેના દીકરાનું મૃતદેહ બેડની અંદર મળી આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા છે. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે માતા અને દીકરાનું ગળું દબાવીને જીવ લઈ લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગર્ભવતી માતા અને તેના 5 વર્ષના દીકરાનો જીવ લઈ લેવામાં આવ્યો…બંનેના મૃતદેહને બેડની અંદર છુપાવ્યા…જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*