સુરતમાં લગ્નની એનિવર્સરીના દિવસે 4 વર્ષના દીકરાની માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… સુસાઇડનું કારણ જાણીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 7:19 pm, Fri, 17 March 23

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે આજથી બે ત્રણ દિવસ પહેલા સુરત શહેરમાં એક સુસાઇડની ઘટના બની હતી. આ ઘટનામાં લગ્નની એનિવર્સરીના દિવસે એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

લગ્નની વર્ષગાંઠાનો દિવસ જિંદગીનો અંતિમ દિવસ બનતા જ પરિવાર પણ દુઃખનો પહાડો તૂટી પડ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ મંગળવારના રોજ પોતાની લગ્નની મેરેજ એનિવર્સરીના દિવસે ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી મહિલાના પિતાએ તેના શિક્ષક પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાનું મોત થતા જ 4 વર્ષના માસુમ દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. વિગતવાર વાત કરીએ તો સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સરકાર પાસે આવેલી શ્યામ વિલા રેસીડેન્સીમાં નેહા વિનોદ બોરસે નામની 26 વર્ષની મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હતી. મંગળવારના રોજ સવારે ઘરમાંથી નેહાનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.

ડીંડોલી પોલીસના જણાવ્યા અનુસાર નેહાએ ઘરના છતના હુંક સાથે નાયલોનની દોરી બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યાર પછી નેહાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ સુરતની શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદ ભગવાનભાઈ બોરસે સાથે નેહાના 14 માર્ચ 2017ના રોજ લગ્ન થયા હતા.

લગ્ન બાદ નેહાનો પતિ વિનોદ, સાસુ ચમંગા, સસરા ભગવાન અને નણંદ દિપાલી દહેજ માટે નેહાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળીને નેહાએ મંગળવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે લગ્ન સમયે નેહા 10 તોલા સોનુ લઈને સાસરે આવી હતી. લગ્ન થઈ ગયા બાદ સાસરે આવો વધુ દહેજ માટે સતત નેહાને હેરાન કરતા હતા. આ બધાના ત્રાસથી કંટાળીને નેહાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં લગ્નની એનિવર્સરીના દિવસે 4 વર્ષના દીકરાની માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… સુસાઇડનું કારણ જાણીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*