સુરતમાં રત્નકલાકાર અમિત સાવલિયાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, કારણ જાણીને આંચકો લાગશે… પાટીદાર પરિવારમાં માતમ છવાયો…

Published on: 10:42 am, Sun, 5 March 23

ગુજરાતમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઘણા યુવક હોય પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસની સામે મોહિમ શરૂ કરવામાં આવી છે. છતાં પણ દિવસેને દિવસે વ્યાજખોરોના કારણે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં અમિત પરસોત્તમભાઈ સાવલિયા નામના યુવાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમને પણ આંચકો લાગશે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલકી ગામના વતની અને હાલમાં સરથાણા વાલક પાટીયાની નજીકના ગ્રીનવેલી આર બિલ્ડિંગમાં રહેતા 22 વર્ષના અમિત સાવલિયા નામનો યુવક એક રત્નકલાકાર છે.

તે પોતાની પત્ની અને એક બાળકી સાથે રહીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અમિત સાવલિયાએ બે માર્ચ ના રોજ બપોરના 12:00 વાગ્યાની આસપાસ અમરોલીના પોશાળ રોડ ખોડીયાર માતાજીની ડેરી આગળ ગરનાળા પહેલા અનાજમાં નાખવાની દવા પીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ અમિતને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અમિતનું મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ અમિતના પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હતો ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અમિતના મૃત્યુના કારણે પોણા બે વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે અમિત સાવલિયાને લેણદારના ફોન આવતા હોવાના કારણે તે કંટાળી ગયો હતો અને તેને આ પગલું ભરી લીધું હતું.

કહેવામાં આવી રહ્યું છે લેણદારોના સતત ફોન આવતા હતા અને સતત ઉઘરાણી કરતા હતા. આ કારણોસર કંટાળીને અમિતે ઝેરી લેવા પીને પોતાનો જીવ ટૂકાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં રત્નકલાકાર અમિત સાવલિયાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, કારણ જાણીને આંચકો લાગશે… પાટીદાર પરિવારમાં માતમ છવાયો…"

Leave a comment

Your email address will not be published.


*