સુરતમાં ગણપતિ વિસર્જન જોઈને ઘરે આવતા યુવકનું રસ્તામાં દર્દનાક મોત… મિત્રોની નજર સામે મિત્રનું કરુણ મોત…

Published on: 11:05 am, Fri, 29 September 23

ગઈકાલે ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરતના ઇચ્છાપોર સર્કલ પાસે એક 22 વર્ષીય રત્નકલાકારને અજાણ્યા વાહન ચાલાકે કચડી નાખ્યું હોત. યુવકને કચડી નાખ્યા બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. પરિવારના નાના દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે યુવક રાત્રિના સમયે પોતાના મિત્રો સાથે ગણેશ વિસર્જન જોવા માટે ગયો હતો. જ્યાંથી તે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ મયુર જગદીશભાઈ રાઠોડ હતું અને તે વરિયાવી બજાર ખાતે આવેલી ધાસ્તિપુરા ખાતે પોતાના પરિવાર સાથે રહેતો હતો.

મયુરના પરિવારમાં તેનો મોટો ભાઈ, બહેન અને વિધવા માતા છે. તે એક ડાયમંડ કંપનીમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. રાત્રે તે બાઈક પર પોતાના મિત્રો સાથે હજીરા ખાતે આવેલ ગણેશ વિસર્જન જોવા માટે ગયો હતો.

મયુર સહિત ચાર મિત્રો બે બાઈકો પર ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ઇચ્છાપોર સર્કલ પાસે અજાણ્યા વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ઘટનામાં મયુર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે મયુરના મિત્રોને અકસ્માતની ઘટનામાં સામાન્ય ઇજા થઈ હતી. આ અકસ્માતની ઘટના રાત્રે 1:00 વાગ્યાની આસપાસ બની હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટનામાં મયુરનું માથું અને છાતી કચડાઈ ગયું હતું. આ કારણોસર તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

જેથી મયુરનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ત્યારબાદ મયુરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી હતી. મયુરના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ગણપતિ વિસર્જન જોઈને ઘરે આવતા યુવકનું રસ્તામાં દર્દનાક મોત… મિત્રોની નજર સામે મિત્રનું કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*