સુરતમાં એક રત્નકલાકારે દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે રત્નકલાકારે આ પગલું ભર્યું…

Published on: 3:25 pm, Wed, 5 January 22

સુરત શહેરમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે એક રત્નકલાકારે દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર રત્ન કલાકાર તરીકે કામ કરતા 28 વર્ષીય પરેશ ખૂખાણીએ દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર તેઓ કામરેજ ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા હતા. પરેશ ભાઈના મોટાભાઈ રાજેશભાઈ જણાવ્યું કે, નાઈટ પાણી કરીને સોમવારે મંગળવારે સવારે આવ્યા હતા. અને તે ઘરે આવીને સૂઈ ગયો હતો.

ત્યારે થોડીક વાર બાદ અચાનક જ પરેશ ને ઉલટી થવાનું શરૂ થઈ ગયું આ ઘટના બનતા જ ભાભીએ બૂમાબૂમ કરી દીધી હતી. આ ઉપરાંત પરેશભાઈ ના મોટાભાઈ જણાવ્યું કે અમે દોડીને ત્યાં પહોંચ્યા ત્યારે કરે છે કહ્યું કે, મેં દવા પીધી છે.

આ શબ્દો સાંભળીને પરિવારના તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા. ત્યાર બાદ પરિવારજનોએ પરેશભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં ડોક્ટરે વધુ સારવાર માટે તેમને બીજી હોસ્પિટલમાં લઇ જવાનું કહ્યું હતું અને બીજી હોસ્પિટલમાં પરેશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પરેશભાઈના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા અને તેઓ મૂળ ભાવનગરના વતની હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પહેલા ખાનગી હોસ્પિટલમાં પરેશભાઈ કહ્યું હતું કે, મારે કોઈને પૈસા દેવાના છે જેના કારણે મેં આ અંતિમ શ્વાસ લીધો છે.

હાલમાં એવી માહિતીઓ સામે આવી છે કે પરેશભાઈ દેવાના કારણે પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઇને કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં એક રત્નકલાકારે દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે રત્નકલાકારે આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*