ભાવનગરમાં પતિને ખાટલા સાથે બાંધીને પત્નીએ પતિને સળગાવી દીધા, જાણો આવું કરવા પાછળનું કારણ…

Published on: 2:24 pm, Sat, 2 April 22

તળાજાના સરતાનરપર ગામમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાએ તમામ લોકોને ધ્રુજાવી દીધા છે. મળતી માહિતી અનુસાર અહીં પત્નીએ પતિને ખાટલા સાથે બાંધીને સળગાવી દીધો છે. આ ઘટનામાં પતિનું કરૂણ મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઇને તપાસ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સરતાનરપરમાં રહેતા 44 વર્ષીય સવજીભાઈ જીવા ભાઈ બારૈયા ગઈકાલે બપોરે 3.15 વાગ્યાની આસપાસ ઘરે લીમડાના ઝાડ નીચે ખાટલો નાખીને સુતા હતા.

ત્યારે સવજીભાઈની પત્ની મધુબેન ત્યાં આવે છે અને દોરડા વડે સવજીભાઈને ખાટલા સાથે બાંધી દે છે. ત્યારબાદ પોતાના પતિના શરીર પર કેરોસીન છાંટીને તેને સળગાવી દે છે. સવજીભાઈને કોઈ બચાવવા ન આવે તે માટે મધુબને એક લાકડું લીધું હતું અને આડા ઊભા રહી ગયા હતા. અને ત્યાં આવતા લોકોને અટકાવ્યા હતા.

ઘટનાની જાણ થતા તળાજા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે લક્ષ્મણ ભાઈની ફરિયાદના આધારે મધુબેન ની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સવજીભાઈ અને મધુબેન વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો. બંને વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. આ કારણોસર મધુબેને આ પગલું ભર્યું છે.

મળતી માહિતી અનુસાર દંપતિને સંતાનમાં એક અનિતા નામની દીકરી છે, જેના લગ્ન થઈ ગયા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ ગામના લોકો ભારે રોષે ભરાયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરમાં પતિને ખાટલા સાથે બાંધીને પત્નીએ પતિને સળગાવી દીધા, જાણો આવું કરવા પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*