મિત્રો તમે બધા ગીર સોમનાથ તાલાલામાં ધાવા ગીર ગામમાં બનેલી ઘટના વિશે તો જાણતા જશો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. અહીં એક 14 વર્ષની માસુમ ફૂલ જેવી ધૈર્યા નામની દીકરીનો તેના પિતા અને મોટા બાપુજીએ જીવ લઇ લીધો હતો. દીકરી ધૈર્યાનો જીવ તેના મોટા બાપુજી અને તેના પિતાએ અંધશ્રદ્ધાના કારણે લીધું હતું. માસુમ દીકરીને એવું દર્દનાક મૃત્યુ આપ્યું છે કે સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે.
સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાના બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીએ પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો છે. મિત્રો તમને જણાવી દઈએ કે બંને આરોપીઓનો કેસ લડવા માટે પણ કોઈ વકીલ તૈયાર નથી.
આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ધાવા ગીર ગામમાં રહેતા ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિએ તાંત્રિક વિધિના નામે પોતાના મોટાભાઈ સાથે મળીને પોતાની 14 વર્ષની માસુમ દિકરીનો જીવ લઈ લીધો હતો. બંને ભાઈઓએ મળીને માસુમ દીકરીને ખૂબ જ દર્દનાથ મૃત્યુ આપ્યું હતું. દીકરીને એવું દર્દનાથ મૃત્યુ આપ્યું છે કે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે.
મળતી માહિતી અનુસાર આ ઘટના નવરાત્રીના દિવસોમાં બની હતી. વળગાટ ઉતારવાના બહાને ભાવેશભાઈ અકબરી અને તેમના મોટાભાઈ માસુમ દીકરીને પોતાની વાડીએ લઈ ગયા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે દીકરી ધૈર્યાને સાત દિવસ ભૂખી અને તરસી વાડીમાં રાખવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ શેરડીના પાક વચ્ચે તેને બાંધીને રાખવામાં આવી હતી.
બંને મળીને મન ફાવે તેમ માસુમ દીકરીની ધુલાઈ કરી હતી. આ ઘટનામાં માસુમ દીકરીનું તડપી તડપીને મૃત્યુ થયું હતું. માસુમ દીકરીને એટલું દર્દના મૃત્યુ મળ્યું છે કે તેના શરીર ઉપર જીવડા પડી ગયા હતા. છતાં પણ તેના બાપને દીકરી ઉપર જરાક પણ દયા આવી હતી નહીં.
બંને આરોપીએ મળીને પરિવારના કોઈ સભ્યોને ખબર ન પડે તેવી રીતે અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. ત્યારબાદ બંને આરોપીએ પરિવારના લોકોને કહ્યું કે, ચેપી રોગના કારણે દીકરીનું મૃત્યુ થયું છે. 8 ઓક્ટોબરના રોજ વહેલી સવારે માસુમ દીકરીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મિત્રો તમે વિચારો કે આરોપીઓના મનમાં કેટલી અંધશ્રદ્ધા ભરેલી હશે. અને તમને પણ એક મેસેજ આપવા માગું છું કે કોઈ દિવસ આ પ્રકારની અંધશ્રદ્ધામાં ભરોસો ન કરવો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "સગી દીકરીના શરીરમાં જીવડા પડી ગયા, તો પણ બાપને દીકરી ઉપર જરાક પણ દયા ન આવી…"