રાજ્યમાં કોરોના મહામારીમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષમાં હલ ચલ થઈ ગઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે તેમને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બનીને સામે આવશે.
ત્યારે રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી ગઈ હતી. એવામાં આજે રાહુલ ગાંધી સુરતમાં એક કેસના મુદ્દે કોર્ટમાં હાજર થવાના છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તે વિશે વિચારણા ચાલી રહી છે.
જ્યારે હાર્દિક પટેલને એક બાજુ ખસેડી દીધા છે તેથી તેઓ નારાજ છે. ત્યારબાદ ચર્ચાએ વેગ પકડ્યો કે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઇ જશે અને આમ આદમી પાર્ટી તરફથી પાટીદાર નો ચહેરો બનશે.
અને કેટલાક મીડિયા અહેવાલોમાં પણ આવો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે રાહુલ ગાંધીના આગમન પહેલા જ આજે આ સમગ્ર મુદ્દા પર હાર્દિક પટેલે પોતાનું મહત્ત્વનું નિવેદન આપ્યું.
હાર્દિક પટેલે આ મુદ્દા પર કહ્યું કે ગુજરાતની જનતાને ગોળ ગોળ ફેરવવા માટે ભાજપ દ્વારા બનાવટી ન્યુઝ ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હું જ્યાં છું ત્યાં બરાબર છું, હાર્દિક પટેલે કહ્યું કે મારો હેતુ ગુજરાતના યુવાનો ને ન્યાય મળે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે માટેનો છે. તે માટે હું સતત પ્રયત્ન કરતો રહીશ.
આ ઉપરાંત હાર્દિક પટેલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટી પર કહ્યું કે ભાજપથી નારાજ મતોની પોતાની તરફ કરવા માટે ભાજપની બી ટીમ બની તેને જીતાડવા નું કામ આમ આદમી પાર્ટી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે AAPમાં જોડાવવા મુદ્દે આપ્યું નિવેદન, કહ્યું કે…"