‘આપ’ પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠીયાએ ઉમેદવારી પત્ર ભર્યું.

Published on: 6:42 pm, Fri, 11 November 22

ગુજરાતની વિધાનસભાને ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં ઉતરી ગયા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરી છે ત્યારે ગુજરાત પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટીના અને કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠીયા વિજય મુરતમાં ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા

અને મનોજ સોરઠીયા ની સાથે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે મંદિરે પહોંચ્યા હતા.મનોજ સોરઠીયા અને રાઘવએ ભગવાનના ચરણોમાં શીશ નમાવ્યા અને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ વિજય સંકલ્પ રેલી બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠીયા ઉમેદવારી દાખલ કરવા પહોંચ્યા હતા

અને ઉમેદવારી દાખલ કરતી વખતે મનોજ સોરઠીયા ની સાથે સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાઘવ સાથે સાથે સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને કરંજ વિધાનસભાના સ્થાનિક લોકોનું માનવું છે કે આમ આદમી પાર્ટીનો વિજય થાય તેવું જ આમ આદમી પાર્ટીના લોકો નિવેદન આપી રહ્યા છે અને તે લોકો કહી રહ્યા છે કે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી છે જે ગુજરાતની જનતાનું ભલું કરવા માંગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘આપ’ પ્રદેશ મહામંત્રી અને કરંજ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠીયાએ ઉમેદવારી પત્ર ભર્યું."

Leave a comment

Your email address will not be published.


*