ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મોફુફ રાખવા આમ આદમી પાર્ટી કરી માંગણી, જાણો કેમ કરી માંગણી ?

Published on: 6:16 pm, Thu, 8 April 21

ગુજરાતમાં કોરોના ની પરિસ્થિતિ બગડી રહી છે ત્યારે આગામી સમયમાં યોજાનાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવાની માંગણી આમ આદમી પાર્ટીએ કરી છે. ભારતીય ચૂંટણી પંચ ને કહ્યું છે કે

ચૂંટણી પંચને જાહેરનામું બહાર પાડયા પછી પણ ત્રણ મહિના માટે ચૂંટણી મુલતવી રાખવાની સત્તા હોય છે અને વર્તમાન સ્થિતિને જોતા ચૂંટણી મુલતવી રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરથી ચુંટણી માટે 43 માંથી 40 ઉમેદવારોની ઘોષના કરેલી છે.

અને પાર્ટીનો આ ચૂંટણી જીતશે એવો દાવો કરે છે.ગુજરાત માં સૌથી વધારે સુરતમાં કોરોના નું સંક્રમણ વધતા રાજ્યની રૂપાણી સરકારે ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક ગઈકાલે બેઠક બોલાવી હતી.

આ બેઠકોમાં અધિકારીઓ પાસે કોરોના ની કામગીરી અંગે માહિતી પણ મેળવી હતી. તેઓએ સુરતમાં કોરોના અંગેની કામગીરી ઝડપી કરવા નિર્દેશ કર્યો હતો.

2500 રેમડેસવિર ઇન્જેક્શન નો જથ્થો સુરત મોકલવામાં આવશે.નર્સિંગ હોમ માં કોરોના સારવાર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર ગત 24 કલાક માં ભારત માં કોરોના વાયરસ ના 1,26,789 કેસ નોંધાયા છે.આ દરમિયાન 60 હજાર લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.685 લોકોના કોરોના થી મૃત્યુ થયા છે.

સરકારી આંકડા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોના ના લીધે 1,66,862 લોકોના મૃત્યુ થયા છે અને હાલમાં દેશભરમાં કોરોના ના 9,10,000 થી વધુ સક્રિય કેસ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મોફુફ રાખવા આમ આદમી પાર્ટી કરી માંગણી, જાણો કેમ કરી માંગણી ?"

Leave a comment

Your email address will not be published.


*