એક યુવકે ભાગીને પોતાની પ્રેમિકા સાથે પ્રેમલગ્ન કર્યા, લગ્નના થોડાક દિવસો બાદ થયું એવું કે – યુવકે 4 પેજની સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટુંકાવ્યું…

Published on: 5:05 pm, Thu, 9 June 22

હાલમાં બનેલી એક મચાવી દેનારી ઘટના સામે આવી છે. એક યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. યુવકે આ પગલું ભર્યું તે પહેલા ચાર પેજની સુસાઇડ નોટ લખી હતી અને પોતાના લગ્નના ફોટા ફેસબુકમાં પોસ્ટ કર્યા હતા. આ ઘટના રાજસ્થાનના જોધપુર માંથી સામે આવી છે. અહીં એક પ્રેમીએ પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. પ્રેમએ એક સુસાઈડ નોટ પણ લખી હતી.

તેમાં તેને પોતાના માતા-પિતાની માફી માંગી છે અને પોલીસ સહિત એક ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યો છે.  મળતી માહિતી અનુસાર 27 વર્ષીય લક્ષ્મણ નામના વ્યક્તિએ મંગળવારના રોજ સવારે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો લક્ષ્મણ જોધપુરના સેટેલાઈટ હોસ્પિટલમાં મેઈલ નર્સ તરીકે ફરજ બજાવતો હતો. મળતી માહિતી અનુસાર 15 એપ્રિલ 2021ના રોજ લક્ષ્મણ ઘરેથી ભાગી ગયો હતો.

ત્યારબાદ તેને અમદાવાદની કવિતા નામની યુવતી સાથે કાનપુરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને ત્યાં રહેવા લાગ્યા હતા. પરંતુ કવિતાના લગ્નની જાણ તેના પરિવારજનોને થતાં તેના પરિવારના લોકો કવિતાને અમદાવાદ લઈ ગયા હતા. લક્ષ્મણ કવિતાને લેવા માટે અમદાવાદ પહોંચ્યો હતો. આ દરમિયાન કવિતાના પરિવાર અને લક્ષ્મણ વચ્ચે ઘણા બધા વિવાદો થઈ ગયા હતા.

જેના પગલે બંને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં માતા-પિતાના દબાણના કારણે કવિતા લક્ષ્મણના વિરોધમાં નિવેદન આપ્યું હતું. ત્યારબાદ લક્ષ્મણ પોતાની પત્ની કવિતાને લીધા વગર જોધપુર આવ્યો હતો. ત્યારબાદ તે ખૂબ જ પરેશાન રહેતો હતો. ત્યારે મંગળવારના રોજ તેને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલાં લક્ષ્મણ ચાર પેજની સુસાઈડ નોટ પણ લખી હતી. લક્ષ્મણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, જેના માટે હું જીવતો હતો, જ્યારે તે જ મારી પાસે નથી આવતી તો હું જીવીને શું કરું. કવિતાના પરિવારના સભ્યોએ લેડી થાનેદાર ભટનાગર અને અન્ય પોલીસ કર્મીઓને પૈસા ખવડાવ્યા હતા.

ધારાસભ્યએ પણ તેમના પરિવારને સમર્થન આપ્યું હતું. લક્ષ્મણે વધુમાં કવિતા વિશે સુસાઇડ નોટમાં લખ્યું કે, તે એક વખત મને સપોર્ટ આપ્યો હોત અને તે તારું નિવેદન ન બદલી હોત તો હું બધા સામે લડી લેત. આ ઉપરાંત અન્ય કેટલીક વસ્તુઓ પણ તેને સુસાઇડ નોટમાં લખી હતી. તેને સુસાઇડ નોટના અંતમાં પોતાના માતાપિતા પાસે માફી પણ માંગી હતી. લક્ષ્મણ ચાર પેજની સુસાઇડ નોટ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.

આ ઉપરાંત કવિતા સાથે મેસેન્જરમાં કરેલી વાતને સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા હતા. કવિતાએ મેસેન્જર પર લક્ષ્મણ સાથે વાત કરી હતી કે, હું તારી પાસે કેવી રીતે આવી શકું, મારા પરિવારના સભ્યો મને રોકી રહ્યા છે. મારા પિતાએ કહ્યું કે તું જ હતો હું ગળેફાંસો ખાઈને પોતાનું ટૂંકાવી લઈશ. ત્યારે લક્ષ્મણે જવાબ આપતા કહ્યું હતું કે એક વખત હિંમત કર, બાકી બધું હું મેનેજ કરી લઈશ. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક યુવકે ભાગીને પોતાની પ્રેમિકા સાથે પ્રેમલગ્ન કર્યા, લગ્નના થોડાક દિવસો બાદ થયું એવું કે – યુવકે 4 પેજની સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટુંકાવ્યું…"

Leave a comment

Your email address will not be published.


*