પોપટ અને 17 વર્ષના દીકરાની અનોખી મિત્રતા…! દીકરાનું નિધન થયું ત્યારે પોપટ અર્થી ઉપર આવીને બેસી ગયો… પછી તો કંઈક એવું થયું કે…

Published on: 10:36 am, Sun, 4 February 24

ગુજરાતના પંચમહાલ માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. આ કિસ્સો સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. પંચમહાલમાં પક્ષી અને માનવ વચ્ચેના લાગણીભર સંબંધોનો આ કિસ્સો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાત કરીએ તો પંચમહાલના ધોધંબાના ધનેશ્વરની મુવાડી ગામમાં 17 વર્ષના નરેશ પરમાર નામના યુવકનું નિધન થયું હતું. નરેશનું નિધન થયા બાદ અંતિમયાત્રામાં તેનો મિત્ર પોપટ જોડાયો હતો. આ પોપટ નરેશની અર્થી ઉપર આવીને બેસી ગયો હતો.

લોકોએ તેને ઉડાડવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે ઉડ્યો નહીં અને ત્યાં જ બેઠો રહ્યો. કહેવાય છે કે, નરેશ જ્યારે પોતાના પિતાના સાથે મંદિરે જ હતો. ત્યારે તે રસ્તામાં પોપટને ચણા નાખતો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી.

આ અનોખા કિસ્સા વિશે હાલમાં સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા લોકો આ કિસ્સો સાંભળીને ખૂબ જ ભાવુક થઈ ગયા છે અને ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "પોપટ અને 17 વર્ષના દીકરાની અનોખી મિત્રતા…! દીકરાનું નિધન થયું ત્યારે પોપટ અર્થી ઉપર આવીને બેસી ગયો… પછી તો કંઈક એવું થયું કે…"

Leave a comment

Your email address will not be published.


*