3 વર્ષની માસુમ દીકરીને મૂકીને માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું…મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…

Published on: 12:40 pm, Tue, 23 August 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ ટુકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે જયપુરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. મહિલા સૌપ્રથમ પોતાની ત્રણ વર્ષની દીકરીને પોતાની બહેનના ઘરે મૂકી આવે છે અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લે છે.

આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે આવી હતી. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને સંબંધીઓને સોંપી દેવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલી મહિલા પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે.

જેમાં મહિલાએ પોતાના પતિ પ્રત્યેના પ્રેમ અને તેને જેલમાં ન મોકલવાની વાત લખી હતી. સમગ્ર ઘટના બની આ બાદ મૃત્યુ પામેલી મહિલાની બહેને પતિના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ અંગીતા હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલા તેના પતિ વિકાસ અને 3 વર્ષની દીકરી રોશની સાથે રહેતી હતી.

રવિવારના રોજ સાંજે અંગીતાએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે પરિવારના સભ્યો તેને બોલાવવા માટે રૂમમાં ગયા હતા ત્યારે તેઓએ લટકતી હાલતમાં અંગીતાનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયું હતું.

આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહ નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. પોલીસને મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃત્યુ પામેલી અંગીતાએ લખ્યું હતું કે, હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું. જેના વિના તે જીવી શકતી નથી. મારા પતિને જેલમાં ન મોકલશો.

સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી મહિલાના બહેને અંગીતાના પતિ વિકાસના વિરુદ્ધમાં જીવ ટૂંકાવા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને તેને જણાવ્યું કે, રવિવારના રોજ બપોરે અંગીતા તેના ઘરે આવી હતી. થોડીક વાર દીકરી ની સંભાળ રાખજે, હું આવીશ એમ કહીને બહાર ચાલી ગઈ હતી.

ત્યારબાદ જાણવા મળ્યું અંગીતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સમગ્ર ઘટનાને લઈને જાણવા મળી રહ્યું છે કે, અંગીતાને તેના પતિ વિકાસ દ્વારા માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. જેના પગલે અંગીતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવી લીધું છે તેવું તેની બહેનનું કહેવું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "3 વર્ષની માસુમ દીકરીને મૂકીને માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું…મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*